Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ભાજપને પોતાને ધરણા કરવા પીળો પરવાનો, બીજા માટે પાબંધી ? : સામ્યવાદી પક્ષનો સવાલ

રાજકોટ તા. ૧૦ : 'તારૂ મારૂ સહીયારૂ ને મારૂ મારા બાપનું રાજ' જેવી નીતિ ભાજપ અખત્યાર કરી રહ્યાનો આક્રોશ ભારતીય સામ્યવાદી પક્ષના જિલ્લા મંત્રી ઇશ્વરદાસ કાપડીએ વ્યકત કર્યો છે.

તેઓએ એક યાદીમાં રોષભેર જણાવેલ છે કે બંગાળમાં થયેલ હિંસાનો વિરોધ કરવા ભાજપે દેશભરમાં ધરણા કર્યા. જયારે જનતાની મુશ્કેલીઓને વાચા આપવા વિપક્ષ કાર્યકરો એ નેતાઓએ ધરણાની મંજુરી માંગી તો ચોખ્ખી ના પાડી દેવામાં આવી. ધરણા કરવા જનારની અટકાયત કરાઇ, લાઠીઓ વિંઝવામાં આવી.  ભાજપની આવી બેધારી નીતિને પ્રજાએ ઓળખી લેવા ઇશ્વરદાસ કાપડીએ યાદીના અંતમાં જણાવેલ છે.

(4:27 pm IST)