Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

શુક્રવારે પરશુરામ જયંતિ : ઘરે ઘરે મંત્ર જાપ કરી ગરીમાપૂર્ણ ઉજવણી કરાશે

સોશ્યલ મીડિયા પર પરશુરામજીની ભકિત કરવા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની અપીલ

રાજકોટ તા. ૧૦ : આગામી તા. ૧૪ ના શુક્રવારે અક્ષય તૃતીયનો શુભ દિવસ હોય ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા શ્રી પરશુરામ દાદાનો પ્રાગટયોત્સવ મનાવાશે.

દરમિયાન હાલ કોરોના મહામારીની પરિસ્થિતિ ધ્યાને લઇ ઉત્સવી આયોજનને બદલે ઘરે ઘરે રહીને મંત્ર જાપ કરી પરશુરામ જયંતિની ગરીમાપૂર્ણ ઉજવણી કરાશે. તેમ સોરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ સમાજના ટ્રસ્ટી જીતુ મહેતાની યાદીમાં જણાવાયુ છે.

અક્ષય તૃતીયાના દિવસે શ્રી પરશુરામ દાદાનું ષોડશોપચાર પૂજન અર્ચન કરાશે. તેમજ મહામારી જેવો રોગ શમી જાય તે માટે દાદાને પ્રાર્થના કરાશે. લોકોએ ઘરે ઘરે જ રહી પૂજા પાઠ કરવા તેમજ સોશ્યલ મીડિયામાં દાદાના ફોટા મુકી વર્ચ્યુલ ભકતી કરવા જીતુ મહેતા (મો.૯૪૨૬૨ ૫૦૭૧૧) એ અનુરોધ કરેલ છે.

(3:13 pm IST)