Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

અનેક રોગોમાં મેડીસીન કે આડઅસર વિના સાજા થવાની ચાવી બતાવવા કાલે રાજકોટ આવી રહેલા સાયકો ન્યુરોબિકસના શોધક ડો.ચંદ્રશેખર તિવારી : કાલે શનિવારે સહુ માટે ફ્રી ડેમો : ૧૨મીએ ફુલ ડે પેઈડ વર્કશોપ : શ્રીમતી કિર્તી દવે

રાજકોટઃ તા.૧૦ : શહેરના જાણીતા રેકીમાસ્ટર શ્રીમતી  કિર્તી મિલન દવેના જણાવ્યા મુજબ કોઇપણ દવા કે આડઅસર વિના સંખ્યાબંધ રોગોમાં રોગમુકત થવાની (અને એ પણ દવા કે આડઅસર વિના) એ પધ્ધતી જાણીતા સાયકોન્યુરોબિકસ ડોે. ચંદ્રશેખર  તિવારીએ રિસર્ચ કરી ડેવલપ કરી છે. ડો. તિવારી આવતીકાલે તા.૧૧ અને ૧૨ રવિવારના રાજકોટ આવી રહયા છે.

કાલે ૧૧મીએ શનિવારે અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે ફ્રી ડેમોન્સ્ટ્રેશન (સાંજે ૫ થી ૭) તથા ૧૨ મેના રોજ હેમુ ગઢવી હોલ ખાતે ફુલ ડે વર્કશોપ ડો. તિવારીનો રાખવામાં આવ્યો છે. જે ''પેઇડ વર્ક શોપ'' રહેશે. જેમાં લંચ અને બે વખત ટી- બ્રેક રહેશે.

આ ફ્રી ડેમો અને પેઇડ વર્કશોપમાં તેમની આ અભૂતપૂર્વ શોધ સાયકો ન્યુરોબીકસ, મનની શકિત દ્વારા રોગમુકત થવાના ઉપાય અને પાણીને રીચાર્જ કેવી રીતે કરી શકાય ? તેની સમજ આપવામાં આવશે. વર્કશોપ માટે રજીસ્ટ્રેશન કરાવવા તથા વધુ વિગતો બેન શ્રીમતિ કિર્તી મિલન દવેનો મો.૯૮૭૯૫૫૧૧૮૮ ઉપર સાધી શકાય છે.

ડો. ચંદ્રશેખર તિવારીએ કોઇપણ દવા કે આડઅસર વિના રોગમુકત બનવા માટે સાયકોન્યુરોબીકસ પધ્ધતીની શોધ કરી વિકસાવી છે. તેમનું નામ અને શોધ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશીયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ હોલ્ડરમાં દર્જ થયેલ છે.

હેલ્થ એન્ડ હેપીનેસ ફોર ઓલના સુત્ર સાથે કાર્યરત બનેલ સિગ્મા સોલ્યુશન્સ દ્વારા રાજકોટ ખાતે ડો. ચંદ્રશેખર તિવારીજીનો ફ્રી ડેમો કાર્યક્રમ શનિવાર ૧૧મે ૨૦૧૯ના રોજ અરવિંદભાઇ મણીયાર હોલ (જયુબેલી બાગ) ખાતે સાંજે ૫ થી ૭ વચ્ચે રાખેલ છે.

જયારે રવિવાર ૧૨ મે ૨૦૧૯ના રોજ સવારે ૯ થી સાંજે ૫ સુધી ડો. તિવારીજીનો  ફુલ ડે નો પેઇડ વર્કશોપ રાખેલ છે. જેમાં લંચ અને બે ટાઇમ ટી-બ્રેક સામેલ હોવાનું શ્રીમતિ કિર્તી દવે જણાવે છે.

આ વિષયમાં રસ ધરાવનારા સહુ કોઇને રજીસ્ટ્રેશન કરાવી લેવા શ્રીમતી કિર્તી દવે (જેઓ પોતે પણ જાણીતા રેકી માસ્ટર છે.) એ જણાવ્યું છે. મો. ૯૮૭૯૫૫૧૧૮૮ ઉપર વર્કશોપ માટે નામ નોંધાવી શકો છો. રજીસ્ટ્રેશન કરાવી લેવંુ જરૂરી છે.

આવતીકાલે તા.૧૧ શનિવારે સાંજે ૫ થી ૭ વચ્ચે યોજાયેલ ફ્રી-ડેમો માટે કોઇ જ રજીસ્ટ્રેશનની જરૂર નથી. જીજ્ઞાસુ ભાઇ-બહેનો આ વિનામુલ્યે ફ્રી ડેમોમાં ભાગ લેવા સાંજે ૫ પહેલા અરવિંદભાઇ મણીયાર હોલ ઉપર અચૂક પહોંચી જાય.

શ્રીમતી કિર્તી મિલન દવે વધુમાં જણાવે છે કે મુદ્રા, રંગ, અને નાદની મદદથી મન , શરીર અને આત્માને પરમાત્માની પરમ શકિત સાથે કનેકટ કરી મનને શાંત અને શરીરને સ્વસ્થ રાખવું એટલે ''સાઇકો ન્યુરોબીકસ''

ડો. ચંદ્રેશેખર તિવારીએ પોતે ૧૫ વર્ષ અગાઉ કેન્સર તથા હિપેટાઇટીસ સી ની જીવલેણ બિમારીથી બહાર આવીને સમાજના બહોળા વર્ગને નાના-મોટા રોગમાંથી છુટકારો મેળવવાની દિશામાં મદદરૂપ થવા આ થેરાપી વિકસીત કરી હોવાનું જણાવે છે.

ડો. તિવારી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર, એશિયા બુક ઓફ રેકોર્ડસ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન પામેલ છે.

૨૦૧૭માં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો ગુડ કર્મા એવોર્ડ ઓફ સેલ્ફ હિલીંગ (સાઇકો ન્યુરોબિકસ) પણ મળેલ છે.

શ્રીમતી કિર્તી દવેએ આવતીકાલથી તા.૧૧ અને ૧૨મે ના આવી રહેલ. ડો. ચંદ્રશેખર તિવારીના જ્ઞાન-વિજ્ઞાનનો અને દવા કે આડઅસર વિના રોગમુકત થવાના નવા સાયન્સનો ભરપુર લાભ લેવા સહુને અપીલ કરી છે.  (૪૦.૯)

 

(3:55 pm IST)