Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

કોઠારીયા સોલવન્ટ પાસે કવાર્ટરમાં પૂનમબા ગોહિલનો ફાંસો ખાઇ આત્મહત્યા

રાજકોટ, તા. ૧૦ : કોઠારીયા સોલવન્ટ પાસે હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતી પરિણિતાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ પાસે હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૪૪૦માં રહેતા પૂનમબા ભીમદેવસિંહ ગોહિલ (ઉ.વ.ર૮) એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર.વી. કડછા તથા રાઇટર કલ્પેશભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

મૃતક પૂનમબાના દસ વર્ષ પહેલા લગ્ન થયા હતાં તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ છૂટક મજૂરી કરે છે. આ બનાવમાં કારણ બહાર ન આવતા પોલીસે તપાસ આદરી છે.

(3:48 pm IST)