Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

રાજકોટની રણછોડદાસજીબાપુ હોસ્પિટલ દ્વારા કેન્યામાં વિનામુલ્યે નેત્રયજ્ઞ

રાજકોટઃ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા આફ્રિકાનાં કેન્યાનાં નૈરોબી તથા મોમ્બાસા, કિશુમુ વિગેરે વિસ્તારોમાં વિનામૂલ્યે શ્રી સદ્દગુરૂ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. આ શ્રી સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં ૧૨૦૦ દર્દી ભગવાનનાં વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યા હતા. કેન્યા લાયન્સ હોસ્પિટલનાં ચેરમેન મણીલાલ દોઢીયા, વાઈસ ચેરમેન મનોજભાઈ શાહ, ડો.સુશીલા શાહ, માલીનબેન શાહ, રીઝવાના, રસીકભાઈ કટારીયા અને પ્રવિણભાઈ વસાણીએ સેવા આપી હતી. નૈરોબીનાં બિલ્ડર ભરતભાઈ દોશી તથા મનિષભાઈ દોશીએ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા થતી સેવાઓને બિરદાવી હતી.

(3:48 pm IST)