Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

નવાગામ રાણપુરના શિવાભાઇ વાઘાણીનું વાંકાનેર બાઉન્ડ્રી પાસે અકસ્માતમાં મોત

રાજકોટ તા. ૧૦: વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાઇક અકસ્માતમાં રાજકોટના નવાગામ રાણપુરના પ્રોૈઢનું મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

નવાગામ રાણપુર રહેતાં શિવાભાઇ રણછોડભાઇ વાઘાણી (ઉ.૫૦) તા. ૪ના સાંજે ભલગામથી બાઇક હંકારી નવાગામ તરફ આવી રહ્યા હતાં ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક સામે બીજુ બાઇક અથડાતાં શિવાભાઇ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. પ્રથમ ગોકુળ હોસ્પિટલમાં સારવાર અપાવી બાદમાં  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

(2:47 pm IST)