Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અહીંયા કેમ સુવે છે ? કહી કિશન પરમારને ત્રણ શખ્સોએ માર માર્યો

સોરઠીયા પ્લોટ પાસેનો બનાવઃ કૌટુંબીક નાના મોહન અને તેના બે પુત્રો ગીરીશ અને હસમુખ સામે ફરીયાદ

રાજકોટ, તા. ૧૦ :. સોરઠીયાપ્લોટ નજીક કે.જી.એન. એપાર્ટમેન્ટ પાસે દલીત યુવાનને તેના કૌટુંબીક નાના અને તેના બે પુત્રોએ 'અહીંયા કેમ સુવે છે ?' કહી માર માર્યાની ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ સોરઠીયા પ્લોટ શેરી નં. ૧૦મા રહેતો કિશન દિનેશભાઈ પરમાર (ઉ.વ. ૨૩) રાત્રે કે.જી.એન. એપાર્ટમેન્ટ પાસે ફુટપાથ ઉપર સુતો હતો ત્યારે સોરઠીયા પ્લોટ શેરી નં. ૧૦માં રહેતા તેના કૌટુંબીક નાના મોહન તથા તેના બે પુત્રો ગીરીશ ઉર્ફે વેતીયો અને હસમુખ ઉર્ફે ટીડો તેની પાસે આવી 'અહીંયા કેમ સુવે છે ?' કહી ગાળો આપી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. આ અંગે કિશને એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. વી.જી. જાડેજાએ તપાસ આદરી છે.

(4:35 pm IST)