Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વ્યાજખોરોથી કંટાળી ઝેરી દવા પી લેનાર જીજ્ઞેશભાઇ કાનાબારનું મોત

રાજકોટ તા. ૧૦ : માર્કેટયાર્ડ પાસે શ્રીરામ સોસાયટીમાં રહેતા લોહાણા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી આજે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ માર્કેટયાર્ડ આર. ટી. ઓ. ઓફીસની પાછળ શ્રીરામસોસાયટી શેરી નં.૩માં રહેતા જીજ્ઞેશભાઇ પ્રતાપભાઇ કાનાબાર (ઉ.૩૭) એ પરમ દિવસે રાત્રે જયુબેલી ગાર્ડન પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. લોહાણા યુવાને ઇલેકટ્રીક કામ કરતા હતા બે માસ પહેલા તેના મિત્ર મુકેશ કચ્છીને પૈસાની જરૂર હોઇ તેથી લોહાણા યુવાને ભુરા ભરવાડ  નામના શખ્સ પાસેથી ૩.૩૦ લાખ વ્યાજે લીધા હતા બાદ મુકેશ કચ્છીએ પૈસા ન ચુકવતા ભુરા ભરવાડે લોહાણા યુવાન પાસે વ્યાજ સહિત રૂ. ૬ લાખની ઉઘરાણી શરૂ કરી હતી. અવાર નવાર પૈસાની ઉઘરાણી અને ધમકીથી કંટાળી લોહાણા યુવાને પરમ દિવસે રાત્રે ઝેરી દવા પી લીધી હતી. જયાં આજે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ આદરી છે.

(4:06 pm IST)