Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

અરવિંદભાઈ મણીઆર ટ્રસ્ટ દ્વારા ૧૦ લાખનું અનુદાન

રાજકોટ : કોરોના મહામારી સામે લડવા શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા કુલ રૂ.૧૦ લાખનું દાન અપાયેલુ છે. તેમાં પ્રધાનમંત્રી કેર્સ ફંડમાં રૂ.૫ લાખ અને મુખ્યમંત્રી રિલીફ ફંડમાં રૂ.૫ લાખ, બંને ચેક રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહન મોહનને આપેલ છે. આ તકે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.વલ્લભભાઈ કથીરીયા, સંસ્થાના ટ્રસ્ટીઓ પૈકી સી.એ. કલ્પકભાઈ મણીઆર અને જૈન શ્રેષ્ઠી નિલેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

(4:05 pm IST)