Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ભૂતપૂર્વ ડે.મેયર સ્વ. પુષ્પાબેન પંડયાની સ્મૃતિમાં દિલીપભાઇ દ્વારા રૂ.પ૦ હજારનું અનુદાન

રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના વાઇરસની મહામારીને અંકુશમાં લેવા જબરદસ્ત લડત ચલાવી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી વિજયભાઇ રૂપાણી અનેક મોરચે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.સાથોસાથ નાગરિકો પણ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહતફંડમાં અનુદાન આપી સરકારના હાથ વધુ મજબુત બનાવી રહ્યા છે. જેમાં રાજકોટના ભૂતપૂર્વ ડે. મેયર સ્વ. પુષ્પાબેન પંડયા(માડી)ની સ્મૃતિમાં તેમના પુત્ર દિલિપભાઇ પંડયાએ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ભૂતપૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથીરિયા અને અરવિંદભાઇ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટના કલ્પકભાઇ મણિયારની ઉપસ્થિતીમાં જીલ્લા કલકેટર રેમ્યા મોહનને રૂ.રપ,ર૦૦/- અને રૂ.રપ,ર૦૦/- (કુલ રૂ.પ૦,૪૦૦/-) ના અલગ અલગ ચેક પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યા છે.

(3:17 pm IST)