Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

પટેલવાડી સામે ઇમીટેશનના શોરૂમમાં જાગૃતિબેન વાઘેલાનું શંકાસ્પદ મોત

મોચી યુવતી શોરૂમમાં કામ કરતી હતી ત્યારે અચાનક બેભાન થઇ ગઇ : ઝેરી દવાના કારણે મોત નિપજયાની શંકાએ ફોરેન્સીક પીએમ કરાયું

રાજકોટ, તા. ૧૦ : ભગવતીપરામાં રહેતી મોચી યુવતી ભાવનગર રોડ પર પટેલ વાડી સામે ઇમીટેશનના શોરૂમમાં એકાએક બેભાન થયા બાદ તેનું મોત નિપજતા યુવતીના મોત પાછળનું કારણ જાણવા પોલીસે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.

મળતી વિગત મુજબ ભગવતીપરામાં રહેતા જાગૃતિબેન ગીરધરભાઇ વાઘેલા (ઉ.૩પ) ભાવનગર રોડ પર પટેલ વાડી સામે આવેલ મહાવીર ઇમીટેશન નામના શોરૂમમાં કામ કરતા હોઇ, તેથી ગઇકાલે બપોરે તેઓ શોરૂમમાં હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ બનાવની જાણ થતાં બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. આર.બી. રાજપૂત અને રાઇટર સંજયભાઇ કુમારખાણીયાએ સ્થળ પર પહોંચી તપાસ આદરી છે.

મોચી યુવતીનું બેભાન અચાનક મોત નિપજતા તેની પાછળનું કારણ જાણવા મૃતદેહનું કોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. મૃતક યુવતી એકભાઇમાં નાની હતી તેના પિતા હયાત નથી તે તેના વૃદ્ધ માતા કાન્તાબેન સાથે રહેતી અને શોરૂમમાં નોકરી કરતી હતી. આ અંગે પોલીસે તપાસ આદરી છે.

(11:36 am IST)