Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

આનંદનગરના અંકિત ઉર્ફ કાળીયાને પાસામાં અમદાવાદ જેલમાં ધકેલાયો

મારામારીના ગુનામાં સામેલઃ ભકિતનગર પોલીસે બજવણી કરી

રાજકોટઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે વધુ એક શખ્સને પાસામાં ધકેલ્યો છે. કોઠારીયા રોડ આનંદનગર કવાર્ટર બ્લોક નં. ૫ કવાર્ટર નં. ૨૩૬માં રહેતાં અને અગાઉ મારામારીના ગુનામાં પકડાઇ ચુકેલા અંકિત ઉર્ફ નાનોકાળીયો ઉર્ફ લાલો અશોકભાઇ હાડા (ખવાસ) (ઉ.૨૧)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજૂર કરી તેને અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ થતાં ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, પી.એસ.આઇ. ધાખડા, ઇન્દુભા રાણા, નિલેષભાઇ મકવાણા, ભાવિનભાઇ ગઢવી, દિપકભાઇ ડાંગર, વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, સલિમભાઇ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રવિણભાઇ જામંગ, રાણાભાઇ કુગશીયા, દિવ્યરાજસિંહ ઝાલાએ વોરન્ટની બજવણી કરી હતી.

(3:55 pm IST)