Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

મિલ્કત વેરાના ૨૪૮ કરોડના લક્ષ્યાંક સામે ૧૬૧ કરોડની આવક

નવા ચાર ગામની અંદાજીત ૨૦ હજાર મિલ્કતોનાં વેરાની રૂ.૮ થી ૧૦ કરોડની આવકની આશા

રાજકોટ તા. ૧૦: મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નાં ૨૪૮ કરોડનાં લક્ષ્યાંક સામે આજસુધીમાં ૧૬૧કરોડની આવક થવા પામી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની વેરા શાખાના સતાવાર સુત્રો માંથી મળતી વિગતો મુજબ   નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નાં મિલ્કત વેરાનાં ૨૪૮ કરોડનો લક્ષ્યાંક સામે આજ દિન સુધીમાં રૂ.૧૬૧ કરોડની આવક થવા પામી છે.

વધુમાં સુત્રોએ જણાયુ હતુ કે, થોડા સમય પહેલા મ્યુ.કોર્પોરેશનમાં ભળેલા નવા ૪ ગામની ૨૦ હજાર મિલ્કતોનાં ં વેરા પેટે રૂ.૮ થી૧૦ કરોડની આવકની શકયતાઓ અધિકારીઓ દ્વારા દર્શાવવામાં આવી છે.

(3:39 pm IST)