Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

મારામારીના ગુનામાં નાસતા ફરતા નીતીન અને નીલેશ પકડાયા

માલવીયાનગર પોલીસે બન્નેને ઝડપી લીધા

રાજકોટ, તા. ૧૦ :. શહેરના એ-ડિવીઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં થયેલી મારામારીના ગુનામાં નાસતા ફરતા બે શખ્સોને માલવીયાનગર પોલીસે પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ કે.એન. મુક્કાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઈ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઈ, રોહીતભાઈ, મહેશભાઈ તથા હિતેષભાઈ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. રોહીતભાઈ તથા મહેશભાઈને મળેલી બાતમીના આધારે કોઠારિયા રોડ સોમનાથ સોસાયટી શેરી નં. ૨ના નીતિન ભરતભાઈ સરવૈયા (ઉ.વ.૩૦) અને ગોંડલના ફાલ્કન રોડ સડક પીપળીયા ગામના નીલેશ જીતુભા વાઘેલા (ઉ.વ.૨૮)ને પકડી લીધા હતા. નીતિન અને નીલેશ એ-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ મારામારીના ગુનામાં સાત વર્ષથી ફરાર હતા. નીતિન અગાઉ ભકિતનગર અને આજીડેમ પોલીસ મથકમાં મારામારી અને દારૂના ગુનામાં પકડાઈ ચૂકયો છે અને નીલેશ અગાઉ હત્યા, હત્યાની કોશિષ, લૂંટ, મારામારી અને દારૂના ગુનામાં માલવીયાનગર પોલીસ મથકમાં પકડાઈ ચૂકયો છે.

(3:07 pm IST)