Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

બ્રહ્માકુમારીઝ દ્વારા કુવાડવામાં શિવદર્શન મેળાનો પ્રારંભ

અજગરશો- અમરનાથ બર્ફીલી ગુફા વિ.આકર્ષણ જગાવશેઃ ૧૮મી સુધી ચાલુ

રાજકોટઃ બ્રહ્માકુમારીઝ દ્વારા મહાશિવરાત્રી નિમિતે અદ્ભૂત શિવ દર્શન મેળાનુંૅ આયોજન કુવાડવા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. મેળામાં અદ્ભુત મહાકાય અજગર શો, વિરાટકાય કુંભકર્ણ શો તેમજ અમરનાથ બર્ફિલી ગુફા, દ્વાદર્શ જ્યોતિલિંગ દર્શન, વેલ્યુ ગેંમ્સ, એવા અનેક ગૃહ્ય રહસ્યો તથા મુવિંગ મોડલ્સથી સુશોભિત અનેક આકર્ષણો છે. પ્રતિ સાંજે ૭ વાગે મહાઆરતી તથા શિવ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

પોલિસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, મુકેશભાઈ દોશી (દિકરાનું ઘર), અમદાવાદના રાજયોગિની અમરબેન, બ્ર.કુ.નેહાબેન, રાજયોગિની ભારતીદીદી, બ્ર.કુ.રેખાબેન, બ્ર.કુ.અંજુબેનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ. તા.૧૦ થી ૧૮ સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી મેળો ખુલ્લો રહેશે. પ્રવેશ વિનામૂલ્યે છે. આ મેળાનો લાભ લેવા નિમંત્રણ અપાયું છે.(૩૦.૬)

 

(3:04 pm IST)