Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ભાજપ અનુ.જાતી મોરચા દ્વારા ધરણા

 પંજાબમાં કોંગ્રેસની સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંજાબના ફિરોઝપુર જીલ્લામાં પ્રવાસ દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વના ઈશારે વડાપ્રધાનશ્રીની સુરક્ષામાં બેદરકારી દાખવી પંજાબની કોંગ્રેસ સરકારની દુષીત માનસિકતા છતી કરી છે ત્યારે તેના વિરોધમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુ. જાતી મોરચા દ્વારા શહેરના હોસ્પિટલ  ચોક પાસે  આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે 'કોંગ્રેસ સદબુઘ્ધિ મૌન ધરણા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ અનુ.જાતી મોરચાના ઉપપ્રમુખ રાજુભાઈ અઘેરા, પ્રદેશ અનુ.જાતી મોરચાના મંત્રી બાબુભાઈ ચાવડા,  કાર્યક્રમના ઈન્ચાર્જ પરેશ હુંબલ, રઘુભાઈ ધોળકીયા,  શહેર ભાજપ ઉપપ્રમુખ અને શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયા તેમજ શામજીભાઈ ચાવડા, અનીલ મકવાણા, તેમજ શહેર અનુ.જાતી મોરચાના અભીષેક ગોરી, શોભીત પરમાર, રાજેશ ચાવડા, કાન્તીભાઈ બગડા, પ્રવીણ સોઢા, ગૌતમ ચૌહાણ, ભરત મેેવાડા, મોન્ટુ વીસરીયા, દિનેશભાઈ ગોહીલ, જીજ્ઞેશ ચૌહાણ, પુષ્પક પરમાર, વિજયભાઈ પરમાર, સચીન પરમાર, નરેન્દ્રભાઈ જેઠવા, શૈલેષ રત્નોતર, ભરત વાઘેલા, ડી.બી. ખીમસુરીયા, ઈશ્વર જીતીયા, દિનેશ સોલંકી, મુકેશ વાઘેલા, લાલજીભાઈ મકવાણા, જયેશ ગોરી, જેન્તીભાઈ સોલંકી, જયદીપ પરમાર, ચેતન ચાવડા સહીતના ઉપસ્થિત રહયા હતા.

(3:33 pm IST)