Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ખુશીનો માહોલ શોકમાં ફેરવાયોઃ લગ્ન સમારંભમાં વિસ્ફોટ થતાં ૫ના મોત

લગ્ન સમારોહ દરમિયાન બે ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતાં

જોધપુર, તા.૯: રાજસ્થાનના જોધપુર નજીક ગુરુવારે લગ્ન સમારોહ દરમિયાન બે ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતાં બે બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા અને લગભગ ૫૦ લોકો ઘાયલ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે જ્યાં લગ્નની તૈયારી કરવામાં આવી રહી હતી ત્યાં રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં લીકેજના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે જ્યાં લગ્ન થઈ રહ્યા હતા તે ઘરનો એક ભાગ પણ ધરાશાયી થઈ ગયો હતો.

અકસ્માતમાં ૧૨ લોકો ગંભીર રીતે દાઝી ગયાના સમાચાર છે. આ ઘટના જોધપુરથી લગભગ ૬૦ કિલોમીટર દૂર ભૂંગરા ગામમાં બની હતી. જિલ્લા કલેકટર હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ એક ખૂબ જ ગંભીર અકસ્માત છે.

૫૦ ઘાયલોમાંથી ૪૨ લોકોને પ્ઞ્ણ્ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. સારવાર ચાલી રહી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સાંજે હોસ્પિટલમાં ઘાયલોને મળવાના છે.

(4:19 pm IST)