Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ચાણસ્મા-હારીજ પંથકમાં નર્મદાના પાણી લાવવા મારા પ્રયત્નો રહેશેઃ દિનેશજી ઠાકોર

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા.૯ : હારીજ વિધાનસભા બેઠક ઉપર ખુબજ પાતળી સરસાઇથી વિજયી બનેલા કોંગ્રેસના ઉમેદવાર દિનેશજી ઠાકોરે જીતના શ્રેય ચાણસ્મા-હારીજ પંથકના મતદારોને આપતા જણાવ્યું કે મારા કોંગ્રેસના કાર્યકરો-મોવડી મંડળના કારણે આજે મારી જીત થઇ છે. પંથકમાં આજે સાચા અર્થમાં ગુલાલ ઉડયો છે. આ પંથકમાં નર્મદાના પાણી ખેતરે ખતરે પહોંચાડવાના મારા પ્રયત્નો રહેશે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ આપનારનો હું ખૂબજ આભારી છું.

આ વિસ્તારમાં ઔદ્યોગીક એકમ લાવવા માટેના મારા પ્રયત્નો રહેશે અને આ પંથકમાં રોજગારની તકો ઉભી થાય, યુવાનોને બહાર નોકરી માટે જવું ન પડે તે માટે રોજગારી ઉભી કરવા પ્રયત્નો રહેશે. તેઓએ ચાણસ્મા પંથકના લોકો પાંચ વર્ષ સાથ-સહકાર આપે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

(4:08 pm IST)