Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

લક્ષ્મીબેન શાંતિલાલ ટ્રસ્‍ટ દ્વારા સોમવારે મુક્‍તિધામ રથનું લોકાર્પણ

રાજકોટ તા. ૯ : સ્‍વ. લક્ષ્મીબેન શાન્‍તિલાલ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટના માધ્‍યમથી મુક્‍તિધામ રથ વિનામુલ્‍યે સેવામાં અર્પણ કરવામાં આવ્‍યો છે. જેનો લોકાર્પણ સમારોહ તા. ૧૧ ના રવિવારે સાંજે ૪ થી ૮ વાલ્‍મીકીજીની પ્રતિમાં પાસે, શારદાબાગ પાસે, આઇ.સી.આઇ.સી. બેંકની પાસે, રાજકોટ ખાતે યોજેલ છે. ઉદ્દઘાટન શ્રી ચમનભાઇ શામજીભાઇ પરમારના હસ્‍તે થશે. આ પ્રસંગે શ્રી રૂખી રામદાસ સંપ્રદાયના શ્રી ચીમનાજીબાપુ, વાછરા સત્‍સંગના શ્રી વસંતદાસ બાપુ, ઉદાસી સંપ્રદાયના ધર્મગુરૂ શ્રી રામબાપુ, સંતશ્રી મોતીમાં, જીત સાહેબ કબીર આશ્રમ, શ્રી ધનજીબાપુ નિરાંત પંથ, શ્રી રામેશ બાપુ શ્રી લાલબાપુ ઉપસ્‍થિત રહેશે. તેમ નિમંત્રક ખુશાલભાઇ વાઘેલા (મો.૯૯૭૯૨ ૨૬૭૯૮) અને કવિતાબેન વાઘેલાની યાદીમાં જણાવાયુ છે.

(4:06 pm IST)