Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ઓશો વાટીકામાં ઓશો જન્‍મોત્‍સવ શિબિરઃ આજથી ત્રણ દિવસીય આયોજન

સ્‍વામી અવિનાશ ભારતી અને મા ધ્‍યાન રસીલી શિબિરનું સંચાલન કરશે

રાજકોટઃ શહેના કાલાવડ રોડ પર રાજકોટથી ૧૭ કી.મી. દુર બાલસર ગામ પાસે, કુદરતી વાતાવરણ અને શાંતિમય જગ્‍યામાં ઓશો જન્‍મોત્‍સવ શિબિરનું રહેવા- જમવાની અતિ આધુનિક ફેસેલીટી ધરાવતી જગ્‍યા ઓશો વાટીકામાં આયોજન કરવામાં આવેલ છે. ઓપનીંગ આજે તા.૯ શુક્રવાર સાંજે ૬ કલાકે સમાપન તા.૧૧ ડિસેમ્‍બર ૨૦૨૨, રવિવારે રાત્રે થશે.

શિબિરનું સંચાલન સ્‍વામિ અવિનાશ ભારતી (જબલપુર) અને માં ધ્‍યાન રસીલી કરશે.

આ શિબિરમાં જોડાવવા તેમજ વધુ માહિતી માટે મો.૯૯૭૮૪ ૮૦૮૨૯.

સ્‍થળ- ઓશો વાટીકા કાલાવડ રોડ, બાલાજી વેફર્સ સામેની સાઈડનો રોડ, (વાયા વાગુદળ- બાલાસર રોડ), રાજકોટ.

(4:01 pm IST)