Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

મોરબીના નીચીમાંડલમાં અગાશીમાં ટાંકા પરથી પડી જતા ચંદુભાઇનું રાજકોટમાં મોત

ત્રણ દિવસ પહેલા બનાવઃ યુવાનના મૃત્‍યુથી પરિવારમાં આક્રંદ

રાજકોટ તા.૯ : મોરબીના નીચી માંડલ ગામમાં મકાનની અગાશીપર પાણીના ટાંકા પરથી પડી જતા યુવાનનું રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં મોત નીપજયુ છે.

મળતી વિગત મુજબ નીચીમાંડલ ગામમાં રહેતા ચંદુભાઇ દેવજીભાઇ કુંડારીયા (ઉ.વ.૪૮) ગત તા.૬ના રોજ પોતાના ઘરે અગાશી પર આવેલા પાણીના ટાંકા પરથી પડી જતા તેને માથા તથા શરીરે ઇજા થતા સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું ગઇકાલે સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે પ્રાથમીક કાગળો કરી મોરબી મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:33 am IST)