Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

શહીદ થયેલા સૈન્યના અધિકારીઓને શ્રધ્ધાંજલિ આપતું રાજકોટ ગુરુકુળ પરિવાર

રાજકોટઃ ભારતીય સૈન્યના વડા અને દેશના પ્રથમ સી ડી એસ( ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ) બીપીન રાવત સાહેબ ઉપરાંત અન્ય ૧૧ અધિકારીઓ પણ શહીદ થતા આજરોજ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ઢેબર રોડ રાજકોટ ખાતે સંતો ,વિદ્યાર્થીઓ ,શિક્ષકો અને  વિશાળ હાજરીમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું, પૂજ્ય જનમંગલ દાસજી સ્વામી એ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પતા શહીદોના આત્માને ચિર શાંતિ અર્થે ર્શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન  કરાવી હતી. વિદ્યાલયના આચાર્યશ્રી દવે   વિદ્યાર્થીઓને ભારતીય સૈન્યની વિવિધ પાંખોની સમજૂતી આપી સીડીએસ બિપિન રાવતની દેશ સેવા અને સમર્પણ ને યાદ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શાળાના એનસીસી યુનિટના વિદ્યાર્થીઓએ પણ શહીદોને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

(3:35 pm IST)