Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

સૌરાષ્ટ્રના ૨૭૫ વકતાઓને ભાજપ રાજકોટમાં મુદ્દાસર તાલીમ આપશે

પ્રશિક્ષણ વર્ગમાં કઇ વાત કેવી રતે રજુ કરવી ?

રાજકોટ,તા.૯ : પ્રદેશ ભાજપ દ્વારા ડીસેમ્બરના ત્રીજા અઠવાડિયાથી રાજ્યમાં ૫૫૦ જેટલા સ્થાનો પર તાલુકા અને () (મંડલ) કક્ષાના પ્રશિક્ષણ વર્ગો યોજાનાર છે. તેના વકતાઓ માટે રાજકોટમાં તા. ૧૫મીએ તાલીમ વર્ગ યોજાશે.

ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં પાર્ટીની ગઇ કાલ અને આજ, આત્મનિર્ભરનો અભિગમ, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ, મીડિયાનો ઉપયોગ વગેરે વિષયો પર પસંદગીના આગેવાનો વકતવ્ય આપશે. સૌરાષ્ટ્રના વર્ગો માટે વકતા તરીકે પસંદ થયેલા ૨૭૫ કેટલા કાર્યકરોને ૧૫મીએ રાજકોટમાં સિનિયર આગેવાનો વકતવ્ય રજુ કરવા અંગે માર્ગદર્શન આપશે.

(12:38 pm IST)