Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

રેલનગરમાં બાઇક સ્લીપ થતાં નિવૃત એએઅસાઇ રમેશબહાદુર રાણાનું મોત

૬૧ વર્ષિય વૃધ્ધ રવિવારે સાંજે બાઇક પર લટાર મારવા નીકળ્યા ને અકસ્માત નડ્યોઃ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ નેપાળી પરિવારમાં શોક

રાજકોટ તા. ૯: રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ પર બાઇક સ્લીપ થઇ જતાં હેડકવાર્ટરના નિવૃત એએઅસાઇનું મોત નિપજતાં નેપાળી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ રેલનગર બાલાજી મંદિર સામે રહેતાં રમેશબહાદુર ટેકબહાદુર રાણા (નેપાળી) (ઉ.વ.૬૧) ગત સાંજે સાતેક વાગ્યે પોતાનું મોટર સાઇકલ હંકારી આટો મારવા નીકળ્યા ત્યારે સાધુ વાસવાણી કુંજ રોડ પર બાઇક સ્લીપ થઇ જતાં અથવા કોઇ વાહનની ઠોકરે ચડી જતાં તેઓ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી.

લોકો ભેગા થઇ જતાં તેમના સ્વજનોને જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને રવિભાઇએ જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયા અને હરેશભાઇ રત્નોતરે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રમેશબહાદુર રાણા શહેર પોલીસ હેડકવાર્ટરના નિવૃત એએસઆઇ હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(3:36 pm IST)