Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

બાર કાઉન્‍સીલ દ્વારા માર્કશીટ રજુ નહી કરનાર વકીલોને લાભો મળશે નહીં

રાજકોટ તા ૯  :  સુપ્રીમની ગાઇડ લાઇન મુજબ બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાએ ૨૦૧૦ સુધીના વકીલોની માર્કશીટની ચકાસણીનો આદેશ કર્યો હતો, જેમાં રાજયના ૯૭૦૦ વકીલોએ માર્કશીટ સહિતના દસ્‍તાવેજ મોકલ્‍યા નથી. આ વકીલો એક મહિનામાં દસ્‍તાવેજો નહીં મોકલે તો તેમને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત તરફથી મળતા લાભ આપવામાં આવશે નહીં.ં

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ચેરમેન સી.કે. પટેલ અને અનિલ કેલ્લાએ જણાવ્‍યું હતું કે ૧ મહિનામાં માર્કશીટ સહિતના દસ્‍તાવેજો જે વકીલો જમા નહીં કરાવે તો ધારાશાષાીઓને તૈયાર થનાર ઇલેકટોરલ સેલમાંથી નામ કમી થઇ જશે.

(2:57 pm IST)