Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ભરશિયાળે પાણીકાપઃ કાલે પ વોર્ડ તરસ્‍યા રહેશે

વોર્ડઃ ૨,૩,૪,૫ તથા ૭ના રેલનગર, બજરંગવાડી, કેનાલ રોડ, બેડી વિસ્‍તારમાં પાણી વિતરણ નહિ થાયઃ મ્‍યુ. કોર્પોરેશનનાં વોટર વર્કસ શાખાની સત્તાવાર જાહેરાત

રાજકોટ તા.૯: ભરશીયાળે શહેરના વોર્ડ નં.૨,૩,૪,૫ તથા ૭નાં કેટલાક વિસ્‍તારોમાં આવતીકાલે તા.૧૦ના મંગળવારે પાણી વિતરણ બંધ રહેવાની મ્‍યુ.કોર્પોરેશન સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી છે.

આ અંગે મ્‍યુ.કોર્પોરેશનના વોટર વર્કસ શાખા સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાને નર્મદાનું પાણી પૂરૂ પાડતી GWIL ની મુખ્‍ય પાઇપ લાઇન NC-૩૪ પર તા.૦૯-ડીસેમ્‍બર થી ૧૧ડીસેમ્‍બર દરમ્‍યાન શટ ડાઉન હોવાથી, તા.૧૦મંગળવારના રોજ ઘંટેશ્વર ફિલ્‍ટર પ્‍લાન્‍ટ આધારીત હેડ વર્કસ, બજરંગવાડી (વોર્ડ નં. ૦૨ પાર્ટ , ૦૩ પાર્ટ) તથા રેલનગર વોર્ડ નં. (૦૩ પાર્ટ),  હેઠળ આવતા વિસ્‍તારોમાં તેમજ બેડી ફિલ્‍ટર પ્‍લાન્‍ટ આધારીત હેડ વર્કસ ગ્રીનલેન્‍ડ તથા બેડી ઝોન (વોર્ડ નં.૦૪ પાર્ટ, ૦૫ પાર્ટ) તથા જ્‍યુબીલી આધારીત કેનાલ રોડ (વોર્ડ નં.૦૩ પાર્ટ, ૦૭  પાર્ટ) તેમજ પાણી વિતરણ નહિ થાય તેમ જાહેર કરવામાં આવ્‍યુ છે.

કયાં કયાં વિસ્‍તારોમાં અસર

બજરંગવાડી, મોચીનગર-૧, પવનપાર્ક, વાંકાનેર સોસાયટી, પુનીતનગર, રેલનગર-૩, જામનગર રોડ , રૂડા, ભોમેશ્વર પ્‍લોટસ, સરદાર પટેલ, સુર્યા પાર્ક, ગંગોત્રી પાર્ક, શ્રીનાથજી પાર્ક, નાથદ્વારા, સાંઇબાબા સોસાયટી, પોપટપરા, રઘુવીર પરા, કેનાલ રોડ, સાંગણવાચોક , રઘુવીરપરા, હાથીખાના-૧, રામનાથપરા, વર્ધમાનનગર, દીવાનપરા, સોનીબજાર, ખત્રીવાડ, કરણપરા, ગાંધી વસાહત, મહાશકિત પાર્ક મોરબી રોડ, , સેટેલાઇટ પાર્ક , જયગુરૂદેવ, નાથદ્વારા સોસાયટી, અલ્‍કાપાર્ક સહિતના વિસ્‍તારવાસીઓ તરસ્‍યા રહેશે.

(3:29 pm IST)