Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

રાજકોટના સ્વામિનારાયણ નગરમાં અલભ્ય લ્હાવો :પ્રમુખ સ્વામીની 98મી જન્મ જયંતિની દિવ્ય ઉજવણી

ભવ્ય પ્રવેશદ્વારમાં પ્રકૃતિના તમામ તત્વો ઝરણાં, પર્વત, ઝાડ, વાદળ, સૂર્ય, પંખી શોભાયમાન : પ્રમુખ સ્વામી મહારાજની 25 ફૂટની દિવ્ય મૂર્તિ: મનમોહક હીંચકાના દર્શન

 

રાજકોટઃ પ્રમુખ સ્વામી મહારાજના 98 જન્મ જયંતિ મહોત્સવના ઉપક્રમે બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. તા;5થી 15 ડિસેમ્બર સુધી મોરબી-માધાપર બાયપાસ હાઈવે પર સ્વામિનારાયણ નગરની રચના કરવામાં આવી છે. આ નગરમાં અનેક કલાકૃતિઓ સહિત સાંસ્કૃતિ કાર્યકર્મોનું આયોજન થયું છે  જેના માટે હજારો સાધુ સંતો અને 2200 હજારથી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે.

 ભવ્ય પ્રવેશદ્વાર જેમાં પ્રકૃતિના તમામ તત્વો જેવા કે ઝરણાં, પર્વત, ઝાડ, વાદળ, સૂર્ય, પંખી સ્વામી બાપાની જન્મજયંતિ ઉજવવા થનગની રહ્યા છે.પૂ,પ્રમુખ સ્વામી મહારાજની 25 ફૂટની દિવ્ય મૂર્તિ દ્રશ્યમાન થાય છે    પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજની ઈજનેરી ટેકનોલોજીનો કમાલ દર્શાવતી પ્રતિકૃતિઓ ખુબ જ આબેહૂબ છે લીંબોતરી નીચે ભગવાન સ્વામિનારાયણના હીંચકામાં મનમોહક દર્શન થાય છે

   જયારે પ્રદર્શનખંડમાં  ( સહજાનંદ -મનુષ્યના સહજ આનંદનું રહસ્ય) ,( મુક્તાનંદ વ્યસન મુક્તિનો સંદેશ આપતો શો) ,( સેવાનંદ સેવા કરવાથી થતા લાભ અને મળતો આનંદ),( નિત્યાનંદ ઘરસભા, માતા પિતા નો આદર કરવાનું શીખવતો, માતાપિતા ના ઋણ યાદ અપાવતો સુંદર શો);( ભારતાનંદ- ભારત દેશ પ્રત્યે અસ્મિતા અને ગૌરવ જગાડતો તેમજ મહાન ભારત બનાવવા નાગરિક તરીકેની ફરજ (જેવી કે સ્વચ્છતા, સલામતી અને સગવડતાની કરકસર) નું ભાન કરાવતો અગત્યનો શો),( પરમાનંદ પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ના અનોખા વ્યક્તિત્વ ને ઉજાગર કરતી, વિવિધ ગુણોની અનોખી રજુઆત) ખાસ માણવા લાયક છે

 ભજનાનંદ ડોમમાં હરિભજનમાં લગની લાગી જાય તો જીવતર તરી જાય આ સ્મૃતિ સાથે અખંડ ધૂન અને ભજન, જપાભિષેક કરતા ભજનાનંદ ડોમ બનાવાયા છે  સંતોની મૂર્તિઓમાં  વિવિધ સંતોની નયનરમ્ય, દેવોવંદિત વૃંદમાળમા મૂર્તિઓ શોભી રહી છે  લાઈટ એન્ડ સાઉન્ડ શો ખુબ જ અદભુત છે ખાસ અને ખૂબ જ અગત્યનો તેમજ આખાય નગરના હાર્દ સમો લાઈટ એન્ડ સાઉન્ડ શો જેમાં ખૂબ ભવ્યતાપૂર્ણ રજૂઆત દ્વારા માણી શકાય છે 1000થી વધુ જાતના ફૂલો આખા નગરમાં ઠેરઠેર ફેલાયેલા છે.

  ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીત ગુરૂપરંપરા અને અન્ય દેવો જેવા કે શ્રી રાધાકૃષ્ણ, શ્રી સીતારામ, શ્રી શિવપાર્વતી, શ્રી લક્ષ્મીનારાયણ ના ભવ્ય, દિવ્ય અને કલાપૂર્ણ સુંદર 5 મંદિરો છે જયારે મહા પ્રસાદ માટે રસોડું 70000 થી 80000 દર્શનાર્થીઓ મહાપ્રસાદ ગ્રહણ કરી શકે એવું સુઆયોજિત રસોડું અને વ્યવસ્થા છે.

(1:04 am IST)