Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સોમવારે નિઃશુલ્ક ધ્યાન શિબિર તથા સન્યાસ ઉત્સવ

સંપતી ફાયનાન્સના સીએમડી જયેશભાઇ મડીયાર તથા પાયલબેન મડીયાર દ્વારા પુના પ્રકાશીત ડાયરી તથા કેલેન્ડરનું થશે વિમોચનઃ ઓશો સન્યાસી સ્વામી પ્રેમ પારીજાત(વિનોદભાઇ ગોરધનભાઇ રાઠોડ)ને શ્રધ્ધાસુમન અર્પણ થશે

રાજકોટ, તા., ૯: આગામી તા.૧૧ની સોમવારે ઓશો જન્મ દિવસ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્ય પ્રકાશે એક દિવસીય ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. જેનું સંચાલન સ્વામી જીન સ્વરૂપ સરસ્વતી (આર.જે.આહયા) કરવાના છે.

શિબિર દરમ્યાન પુનાથી પ્રકાશીત ર૦૧૮ની ડાયરી તથા કેલેન્ડરનું વિમોચન સંપતી ફાયનાન્સના સીએમડી જયેશભાઇ મડીયાર તથા પાયલબેન મડીયાર (સ્વામી દિવ્યમ પ્રકાશ તથામાં પ્રેમ અનુરાધા) દ્વારા કરવામાં આવશે.

હાલમાં નિર્વાણ પામેલા ઓશો સન્યાસી સ્વામી પ્રેમ પારીજાત (વિનોદરાય ગીરધરભાઇ રાઠોડ)ને ઓશો પરીવાર દ્વારા શ્રધ્ધાસુમનનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ઓશો જન્મદિવસ નિમિતે પ કિલોની જમ્બો કેક કટીંગ કરીને જન્મદિવસ ઉત્સવ ઉજવાશે.

સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન (આ ધ્યાન છેલ્લા ૩ર વર્ષોથી નિયમીત દરરોજ સવારે ૬ થી ૭ ઓશો ધ્યાન મંદિર પર કરવામાં આવે છે. સવારે ૭.૧પ થી ૮ બ્રેકફાસ્ટ સવારે ૮.૩૦ થી બપોરે ૧ર.૩૦ દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો બપોરે ૧ર.૩૦ થી ૩ મહાપ્રસાદ તથા વિશ્રામ બપોર પછી ૩ થી ૮.૩૦ દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો. વિડીયો દર્શન, પુના દ્વારા નવપ્રકાશીત ૨૦૧૮ની ડાયરી તથા કેલેન્ડરનું વિમોચન, નિર્વાણ સ્વામી પ્રેમ પારીજાત (વિનોદરાય રાઠોડ) ને શ્રધ્ધા સુમન, સન્યાસ ઉત્સવ, ઓશોના જન્મદિવસની દુર્લભ વિડીયો પર લાઇવ સંધ્યા સત્સંગ ઓશો સ્ન્યાસી મીસ્ત્રી નિતિનભાઇ ચાંગેદ્રાનો ઓશો જન્મદિવસ પરનો વિશેષ વાર્તાલાપ શિબિર બાદ રાત્રે ૯.૩૦ વાગ્યે મહાપ્રસાદ (હરીહર) ની વ્યવસ્થા રાખેલ છે.  ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી રાજકોટ ખાતે યોજાયેલ આ શિબિરમાં સહભાગી થવા સ્વામી જીન સ્વરૂપ સરસ્વતી (મો. ૯૪ર૮ર ૦રરપપ)સ્વામી સત્ય પ્રકાશ (મો.૯૪ર૭ર પ૪ર૭૬) અને જયેષભાઇ કોટક (મો.૯૪ર૬૯ ૯૬૮૪૩) અશોકભાઇ રાવલ (મોરબી) મો. ૮૪૬૯૭ ૬૦૯૪૭એ અનુરોધ કરેલ છે.

(4:41 pm IST)