Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કલેકટરનો નિર્દેશઃ વશરામ સાગઠીયાની ઘટનામાં પ્રિસાઇડીંગ 'ફોજદારી' કરશે

રાજકોટ તા.૯ : વિધાનસભા ૭૧ (ગ્રામ્ય)ના કોંગી ઉમેદવાર વશરામ સાગઠિયા પોતાની સાથે કાર્યકરને પણ મતદાન મથકમાં લઇ જતા આ બનાવ અંગે ફોજદારી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.

આ સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ વિધાનસભા-૬૮ બેઠકના મતદાર અને વિધાનસભા-૭૧ના કોંગી ઉમેદવાર વશરામભાઇ સાગઠિયાએ આજે તેઓ જયાના મતદાર છે. તે નવા થોરાળા વિસ્તારના મતદાન મથકમાં કાર્યકરને સાથે લઇ ગયા હતા. આ બાબતે પ્રિસાઇડીંગ ઓફિસરે તેઓને નોટીસ આપી હતી અને બપોર બાદ આ ઘટના અંગે ફોજદારી ફરિયાદની તજવીજ કલેકટર તંત્ર દ્વારા હાથ ધરાયાનું જાણવા મળ્યુ છે.(૩-૧૮)

 

(4:19 pm IST)