Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

મનહરપરામાં જુના મનદુઃખમાં સતિષ ઉર્ફ સતીયા ભરવાડ પર મુસ્લિમ શખ્સોનો હુમલો

ચુનારાવાડનો સતિયો અને મિત્ર રાજેશ ચોકમાં હતાં ત્યારે સદામ, ફૈઝલ, તોહસીફ, ભાઇજાન છરી-ધોકાથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૯: ચુનારાવાડમાં રાત્રીના જુના મનદુઃખને લીધે ભરવાડ યુવાન પર ચાર મુસ્લિમ શખ્સોએ ઝઘડો કરી ધોકાથી માર મારી છરી બતાવી ડખ્ખો કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

થોરાળાના એએસઆઇ મહેન્દ્રભાઇ રાઠોડે ચુનારાવાડ-૧ રાજા ચોકમાં રહેતાં રાજેશ ઉર્ફ ભોપલો કિશનભાઇ ચાવડા (ખવાસ) (ઉ.૨૬)ની ફરિયાદ પરથી આ વિસ્તારના જ સદામ, ફૈઝલ જાકીર, તોહસીફ અને ભાઇજાન સામે ગુનો નોંધ્યો છે. રાજેશના કહેવા મુજબ તેના મિત્ર સતિષ ઉર્ફ સતીયો હમીરભાઇ ટોળીયા (ભરવાડ) (ઉ.૨૫)ને અગાઉ સદામ સહિતની સાથે બોલાચાલી થઇ હોઇ આ બાબતે મનદુઃખ ચાલતું હતું. ગત રાત્રે પોતે અને મિત્ર સષિ મનહરપરા ફાયર બ્રિગેડ નજીક ડિલકસ પાન પાસે પાન ખાવા ગયા બાદ ચોકમાં બેઠા હતાં ત્યારે સદામ સહિતના ચારેયે આવી ડખ્ખો કરી ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો અને છરીથી હુમલો કરી સતિષ ઉર્ફ સતીયાને બંને પડખામાં ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા કરી હતી. તેમજ ધોકાથી પણ માર મારી છરી બતાવી ધમકાવાયો હતો.

સતિષને પેટ, હાથ-પગમાં ઇજા થઇ હોઇ તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(12:48 pm IST)