બુધ્ધત્વની પ્રવાહમાન ધારામાં ઓશો એક નવો પ્રારંભ છે, તેઓ અતિતની કોઇ પણ ધાર્મિક પરંપરા કે શૃંખલાની કડી નથી. ઓશોથી એક નવા યુગનો શુભારંભ થાય છે અને તેની સાથે જ સમય બે સુસ્પષ્ટ ખંડોમાં વિભાજિત થાય છે. ઓશો પૂર્વ તથા ઓશો પશ્ચાત.
મધ્યપ્રદેશના કુચવાડા ગામમાં ૧૧ ડિસેમ્બર ૧૯૩૧ના રોજ જન્મેલ ઓશોનું બચપણનું નામ રજનીશ ચંદ્રમોહન હતું. તેમણે જીવનમાં પ્રારંભિક કાળમાં જ એક નિર્ભીક સ્વતંત્ર આત્માનો પરિચય આપ્યો. ખતરાથી રમવું તેમને પ્રીતિકર હતું. સો ફૂટ ઊંચા પૂલ પરથી કૂદીને તોફાની નદીને તરીને પાર કરવી તેમને માટે સાધારણ રમત હતી. યુવા ઓશો પોતાની અલૌકિક બુધ્ધિ તથા દૃઢતાથી પંડિત-પુરોહિત, મુલ્લા-પાદરી, સંત-મહાત્મા જે સ્વાનુભવ વગર જ ભીડના આગેવાન બની બેઠા હતા તેમની મૂઢતાઓ અને પાખંડોનો પર્દાફાશ કર્યો.
૨૧ માર્ચ ૧૯૫૩ના દિવસે એકવીસ વર્ષની આયુમાં ઓશો સંબોધિ (પરમ જાગરણ) ને ઉપલબ્ધ થયા. સંબોધિના સંબંધમાં તેઓ કહેતા કે... હવે હું કોઇપણ પ્રકારની શોધમાં નથી. અસ્તિત્વએ પોતાના સમસ્ત દ્વાર મારા માટે ખોલી દીધા છે.
સન ૧૯૬૬માં ઓશોએ વિશ્વ વિદ્યાલયના પ્રાધ્યાપક પદથી ત્યાગપત્ર આપી દીધું. જેથી અસ્તિત્વએ જે પરમ ભગવતાનો ખજાનો તેમના તર લૂટાવ્યો છે તેને તેઓ પૂરી માનવતાને આપી શકે અને એક નવા મનુષ્યને જન્મ દેવાની પ્રક્રિયામાં સમગ્રતાથી લાગી શકે.
ઓશો આ નવો મનુષ્ય ''ઝોરબન ધ બુધ્ધા'' એક એવો મનુષ્ય છે જે ઝોરબાની જેમ ભૌતિક જીવનનો પૂરો આનંદ મનાવવાનું જાણે છે અને ગૌતમ બુધ્ધની જેમ મૌન રહીને ધ્યાનમાં ઉતરવામાં પણ સક્ષમ છે- એવો મનુષ્ય જે ભૌતિક અને આધ્યાત્મિક, બન્ને રીતે સમૃધ્ધ છે.
સન ૧૯૭૦માં ઓશો મુંબઇમાં રહેવા આવી ગયા. હવે પશ્ચિમમાંથી સત્યના ખોજી પણ, જે ફકત ભૌતિક સમૃધ્ધિથી કંટાળી ગયા હતા અને જીવનના કોઇ ગહન રહસ્યોને જાણવા અને સમજવા માટે ઉત્સુક હતા, તેમની પાસે આવવા લાગ્યા. ઓશોએ તેમને બોધ આપ્યો કે ધ્યાન હવે પછીનું પગથીયું છે. ધ્યાન જ જીવનમાં સાર્થકતાના ફૂલ ખીલવામાં સહયોગી સિધ્ધ થશે...
એ જ વર્ષમાં સપ્ટેમ્બરમાં મનાલી (હિમાલય)માં આયોજિત શિબિરમાં ઓશોએ નવ સન્યાસ દીક્ષા દેવાનું શરૂ કર્યુ. આ જ સમયની આસપાસ તેઓ આચાર્ય રજનીશની ભગવાન શ્રી રજનીશના રૂપમાં પ્રસિધ્ધ થયા.
સન ૧૯૭૪માં તેઓ પોતાના ઘણાં સન્યાસિઓ સાથે પૂના આવી ગયા જયાં ''શ્રી રજનીશ આશ્રમ''ની સ્થાપના થઇ. પૂના આવ્યા પછી તેમનલ પ્રભાવ વિશ્વભરમાં ફેલાવા લાગ્યો.
શિષ્યો અને સાધકોને આપેલાં આ પ્રવચનો છસો પચાસથી પણ વધુ પુસ્તકોના રૂપમાં પ્રકાશિત થઇ ચૂકયા છે અને ત્રીસથી વધુ ભાષાઓમાં અનુવાદિત થઇ ચુકયા છે. તેઓ કહે છે, ''મારો સંદેશ કોઇ સિધ્ધાંત, કોઇ ચિંતન નથી, મારો સંદેશ તો રૂપાંતરણનો એક કીમિયા, એક વિજ્ઞાન છે.''
અચાનક શારીરિક રૂપથી બીમાર થઇ જવાથી ૧૯૮૧ની વસંત ઋતુમાં તેઓ મૌનમાં જતાં રહ્યા. ચિકિત્સકોની સલાહ પર એ જ વર્ષ જૂન મહીનામાં તેમને અમેરિકા લઇ જવામાં આવ્યાં. તેમના અમેરીકી શિષ્યોએ ઓરેગન રાજયના મધ્યભાગમાં ૬૪૦૦૦ એકર જમીન ખરીદી હતી. જયાં તેમણે ઓશોને રહેવા માટે આમંત્રિત કર્યા. ધીરે ધીરે આ અર્ધ રણપ્રદેશ જેવી જગ્યા એક ખીલતાં ફળતાં કમ્યૂનમાં પરિવર્તિત થતી ગઇ. ત્યાં લગભગ ૫૦૦૦ પ્રેમીમિત્ર હળી મળીને પોતાના સદગુરૂના સાનિધ્યમાં આનંદ અને ઉત્સવના એક અનૂઠા નગરના સૃજનને યથાર્થ રૂપ આપી રહ્યા હતાં. બહુ જલ્દી આ નગર રજનીશપુરમ નામથી સંયુકત રાજય અમેરીકાનું એક ઇન્કોર્પોરેટેડ શહેર બની ગયું. પરંતુ કટ્ટરપંથી ઇસાઇ ધર્માધીશોના દબાણમાં અને રાજનીતિજ્ઞોનાં નિહિત સ્વાર્થવશ શરૂઆતથી જ કમ્યૂનના આ પ્રયોગને નષ્ટ કરવા માટે અમેરીકાની સંઘીય, રાજય અને સ્થાનીય સરકારો દરેક સંભવ પ્રયાસ કરી રહી હતી.
જેમ અચાનક એક દિવસ ઓશો મૌન થઇ ગયા હતા તેમજ અચાનક ઓકટોબર ૧૯૮૪માં તેમણે પુનઃપ્રવચન આપવાનું શરૂ કરી દીધું. જીવન સત્યના આટલા સ્પષ્ટાવાદી અને મુખર વિવેચનોથી નિહિત સ્વાર્થોના મૂળ વધુ ડગમગવા લાગ્યાં.
ઓકટોબર ૧૯૮૫માં અમેરીકી સરકારે ઓશો પર આપ્રવાસ નિયમાોનાં ઉલ્લંઘન ૩૫ મનગઢંત આરોપ લગાવ્યા. કોઈ પણ ધરપકડ વોરન્ટ વગર ઓશોને બંદૂકની અણીએ હિરાસતમાં લેવામાં આવ્યા. ૧૨ દિવસ સુધી તેમની જમાનત સ્વીકારવામાં ન આવી અને તેમના પગમાં હાથકડી અને બેડીયો નાખીને તેમને એક જેલમાંથી બીજી જેલમાં ફેરવતા પોર્ટલેન્ડ (ઓરેગન) લઈ જવામાં આવ્યા. જેલમાં બહુ દુવ્યર્વહાર કરી સંધીય સહકારના અધિકારીયોએ તેમને ''થેલિયમ'' નામનું ધીમી અસરવાળુ ઝેર આપ્યું.
૧૪ નવેમ્બર ૧૯૮૫ના રોજ અમેરીકા છોડીને ઓશો ભારત પરત આવી ગયા. અહીંની તત્કાલીન સરકારે પણ તેમને પૂરા વિશ્વથી અલગ - થલગ કરવાનો પૂરો પ્રયાસ કર્યો. ત્યારે ઓશો નેપાલ જતા રહ્યા. નેપાલમાં પણ તેમને વધુ સમય રોકાવાની અનુમતિ આપવામાં ન આવી.
ફેબ્રુઆરી ૧૯૮૬માં ઓશો વિશ્વ ભ્રમણ માટે નીકળ્યા, જેની શરૂઆત તેમણે ગ્રીસથી કરી, પરંતુ અમેરીકાના દબાણથી ૨૧ દેશોએ તેમને નિષ્કાસિત કર્યા અથવા ફરી દેશમાં પ્રવેશવાની અનુમતિ ન આપી. આ તથાકથિત સ્વતંત્ર અને લોકતાંત્રિક દેશોમાં ગ્રીસ, ઈટલી, સ્વિટ્ઝર્લેન્ડ, સ્વીડન, ગ્રેટ બ્રિટન, પશ્ચિમ જર્મની, હોલેન્ડ, કેનેડા, જમાઈકા અને સ્પેન પ્રમુખ હતા.
ઓશો જુલાઈ ૧૯૮૬માં મુંબઈ અને જાન્યુઆરી ૧૯૮૭માં પુનાના પોતાના આશ્રમમાં પાછા આવી ગયા, જે હવે ઓશો કમ્યુન ઈન્ટરનેશનલના નામથી ઓળખાય છે. અહીં તેઓ પુનઃ પોતાની ક્રાંતિકારી શૈલીમાં પોતાના પ્રવચનો દ્વારા પંડિત પુરોહિતો અને રાજનેતાઓનો પાખંડ અને માનવતા પ્રત્યે તેમના ષડયંત્રોનો પર્દાફાશ કરવા લાગ્યા.
૨૬ ડિસે. ૧૯૮૮ના રોજ ઓશોએ પોતાના નામની આગળ ''ભગવાન'' સંબોધન હટાવી દીધું. ૨૭ ફેબ્રુઆરી ૧૯૮૯ના રોજ ઓશો કમ્યુન ઈન્ટરનેશનલનાં બુધ સભાગારમાં સાંધ્ય પ્રવચન સમયે તેમના ૧૦૦૦૦ શિષ્યો અને પ્રેમીઓએ એકમતથી પોતાના પ્યારા સદ્દગુરૂને ''ઓશો'' ના નામથી બોલાવવાનો નિર્ણય લીધો.
૧૭ જાન્યુઆરીએ તેઓ સભામાં ફકત નમસ્કાર કરીને પાછા જતા રહ્યા. ૧૮ જાન્યુઆરીએ ''ઓશો વ્હાઈટ રોબ બ્રધરહુડ'' ની સાંધ્ય સભામાં તેમના અંગત ચિકિત્સક સ્વામી પ્રેમ અમૃતોએ સુચના આપી કે ઓશોના શરીરનું દર્દ એટલુ વધી ગયું છે કે તેઓ આપણી વચ્ચે આવી નથી શકતા, પરંતુ તેઓ પોતાના રૂમમાં જ સાત વાગ્યાથી આપણી સાથે ધ્યાનમાં બેસશે. બીજે દિવસે ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ના રોજ સાંજે પાંચ વાગે ઓશો શરીર છોડીને મહાપ્રયાણ કરી ગયા. તેની ઘોષણા સાંધ્ય સભામાં કરવામાં આવી. ઓશોની ઈચ્છાનુસાર, એ જ સાંધ્ય સભામાં તેમનું શરીર ગૌતમ ધી બુદ્ધા ઓડીટોરીયમમાં દસ મિનિટ માટે લાવીને રાખવામાં આવ્યું. દસ હજાર શિષ્યો અને પ્રેમીયોએ તેમની અંતિમ વિદાયનો ઉત્સવ સંગીત - નૃત્ય, ભાવારિતેક અને મૌનમાં મનાવ્યો.
OSHO
NEVER BORN
NEVER DIED.
ONLY VISITED THIS
PLANET EARTH BETWEEN
સ્વામી
સત્ય પ્રકાશ
મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬