Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અયોધ્યા ચુકાદો વૈશ્વીક દ્રષ્ટિએ ઐતિહાસિકઃ કમલેશ જોશીપુરા

રાજકોટ, તા., ૯: બંધારણના જાણીતા અભ્યાસુ અને પુર્વ કુલપતિ ડો.કમલેશ જોશીપુરાએ અયોધ્યા રામજન્મભુમિ સંદર્ભે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો સંપુર્ણ ન્યાયપૂર્ણ અને દેશની જનતાની આકાંક્ષાઓને અનુરૂપ જણાવ્યું છે.

ડો.કમલેશ જોશીપુરાએ ન્યાયમુર્તિઓને ખાસ અભિનંદન આપી અને બંધારણીય વિભાવના સંદર્ભે આ ચુકાદાને વૈર્શ્વિક દ્રષ્ટિથી ઐતિહાસિક લેખાવેલ છે. ૧૩ર વર્ષથી ચાલતા  લીટીગેશનનો અંત આણી સર્વોચ્ચ અદાલતે ભારતીય પ્રજાના દિલ જીતી લીધા છે. સમગ્ર વિષય વસ્તુ સંપુર્ણપણે હકિકતલક્ષી પુરાવાઓ આધારીત હતી ત્યારે સર્વોચ્ચ અદાલતની બંધારણીય પીઠે પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી ક્ષીર-નીરનું તારણ કાઢયું છે તે કાબીલેદાદ  છેે.

(3:54 pm IST)