Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

પૂ. વિનયરત્નાજી મ.આ.ઠા.ની નિશ્રામાં

યુનિ. રોડ જૈન સંઘમાં માતૃ-પિતૃ વંદના : ગૌતમ પ્રસાદ

રાજકોટઃ તા.૯, યુનિવસીર્ટી રોડ જૈન સંઘ સાચાદેવશ્રી સુમતિનાથ જિનાલયના આંગણે બિરાજમાન સાધ્વીજી ભગવંત પૂ.શ્રી વિનયરત્નાજી મ. આદિ ઠાણાની પાવન નિશ્રામાં માતા-પિતાનું વંદન કરવા માટે સાંપ્રત સમાજમાં આજે જે સમસ્યા વિકરાળ બની છે. આ સમસ્યાને હલ કરવા યુનિવસીર્ટી રોડ જૈન સંઘમાં બિરાજમાન પૂ.શ્રી વિનયરત્નાશ્રીજી મ.સાહેબ આદિ ઠાણાની નિશ્રામાં યુનિવસીર્ટી રોડ જૈન સંઘના ટ્રસ્ટી ટ્રેઝરર નિલેષભાઇ હસમુખભાઇ કોઠારી પરિવાર (હસ્તે બિજલબેન સાગર, ચાંદની દ્વારા) એક સંવેદનના સભર ''માતુ-પિતૃ વંદના'' મહોત્સવ યોજાયો. સમધુર ગીતાસ્તવનના સથવારે પૂ. મહારાજ સાહેબની લાગણીસભર વાણીમાં ઉપસ્થિત તમામ શ્રોતાઓ  અંતરના ભાવથી ચોધાર આસુએ રડી પડયા.

તમામ પધારેલ મહેમાનો, સંઘના સભ્યો તથા કોઠારી પરિવારજનોએ જણાવેલ કે આવો કાર્યક્રમ જોયલ નથી તેટલા સંવેદના તથા લાગણી પ્રધાન આ પ્રોગામ સતત ૪ કલાક સુધી ઉપસ્થિત દરેક શ્રોતાઓએ અંતરની લાગણીથી માણ્યો.

માતૃ-પિતૃ વંદનામાં ઉપસ્થિત દરેક વડીલોની માતૃ-પિતૃ વંદના તેમના સંતાનો દ્વારા કરવામાં આવેલ. શ્રાવક-શ્રાવિકાનું બહુમાન કરવામાં આવેલ. માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ બાદ ઉપસ્થિત પરિવારજનો આમંત્રીત મહેમાનો તથા ઉપસ્થિત દરેક શ્રોતાઓ માટે ગૌતમ પ્રસાદનું આયોજન પણ લાભાર્થી પરિવાર નિલેશભાઇ એચ. કોઠારી દ્વારા કરવામાં આવેલ.

માતૃ-પિતૃ વંદના પ્રસંગે નિલેશભાઇના માતુશ્રી કલ્પનાબેન પિતાશ્રી હસમુખભાઇ, જીજ્ઞેશભાઇ, મીરાબેન, ભરતભાઇ અન્ય સંઘના પદાધીકારીઓ સંસ્થાના પદાધિકારીઓ યુનિવસીર્ટી સંઘના પ્રમુખ અનિષભાઇ, પ્રશાંતભાઇ, પ્રકાશભાઇ, ઉમેશભાઇ, ચંદ્રકાન્તભાઇ, પંકજભાઇ, કેતનભાઇ, મેહુલભાઇ, સાગરભાઇ, અમિષભાઇ, વિમલભાઇ ધામી, કોઠારી પરિવારના સભ્યો, સંઘ સભ્યો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

(3:34 pm IST)