Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબીનું ઝુલુસ

રાજકોટઃ ઈસ્લામ ધર્મના મહાન નબી સાહેબ મોહમ્મદ રસુલ્લાહ સાહેબ (સ.અ.વ.)ના મિલાદ મુબારકની રાત્રે સમગ્ર દાઉદી વ્હોરા સમાજ દ્વારા ભવ્ય ઝુલુસ શહેરના વિવિધ માર્ગો ઉપરથી જનાબ આમીલ સાહેબ મુસ્તફાભાઈ સાહેબ વજીહીની આગેવાનીમાં નીકળેલ હતું. જેમાં હાતીમી મોહલ્લાના આમીલ સાહેબ અલી અસગરભાઈ સાહેબ, કુત્બી મોહલ્લાના આમીલ સાહેબ શેખ સૈફુદ્દીનભાઈ રામપુરાવાલા, વજીહી મોહલ્લાના આમીલ સાહેબ શેખ હુશેનભાઈ અને ઝકવી મોહલ્લાના આમીલ સાહેબ શેખ મુસ્તફાભાઈ આ ઉપરાંત દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ, બાળકો મોટી સંખ્યામાં જોડાયેલા હતા. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ખાસ ઝુલુસમાં સામીલ થઈ મુબારક બાદી આપેલ હતી. તેમ યુસુફભાઈ જોહરકાર્ડસવાળાએ જણાવ્યું હતું.

(11:51 am IST)