Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ઓશોનું નવુ ગુજરાતી પુસ્તક 'અર્જુનનો વિષાદયોગ'નો પરિચય

રાજકોટ : 'અર્જુનનો વિષાદયોગ' પુસ્તક ઓશોના હિન્દી પુસ્તક ગીતાદર્શન અધ્યાય ૧-રનો પૂર્વાધ છે. વિષાદમાંથી  ક્રાંતીનો જન્મ થાય છે. સર્જનના મૂળમાં વિષાદ છે. અર્જુનના વિષાદને કારણે આપણને કૃષ્ણના મૂખે ગીતા સાંભળવા મળી જે અદભૂત ગ્રંથ છે. કૃષ્ણની ગીતાને આજના યુગના સંદર્ભમાં ઓશોએ રજૂ કરેલ છે ઓશો દરેક વિષયના ઉંડાણને પકડે છે અને તેને રસાળ શૈલીમાં આધુનીક વિજ્ઞાનના સંદર્ભથી માનવીના મનોવિજ્ઞાનના ઉંડાણને સ્પર્શ કરીને દાખલા દ્રષ્ટાંતથી સમજાવે છે. જેના કારણે ઓશોને વારંવાર વાંચવા સાંભળવા ગમે છે.

ઉપનિષદ ચેરીટેબલ ટ્રસ્ટ બરોડા દ્વારા આ પુસ્તકનું પ્રકાશન કરેલ છે. આ પુસ્તક તેઓનું ૬૯મું ઓશોના ગુજરાતી પુસ્તકનું પ્રકાશન છે. પુસ્તકના ૨૪૧ પેઇજ છે અને કિંમત ૧૯૦ રૂ. છે.

પુસ્તક મેળવવા માટે સ્વામી સત્યપ્રકાશ ઓશો સત્યપ્રકાશ, ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ વિવકાનંદ ઓવરબ્રીજ પાસે ૪ વૈદવાડી ડી માર્ટની પાછળની શેરી રાજકોટ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬

(11:42 am IST)