Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

માધાપર સર્વે નં. ૧૧૧માં રાજકીય વગ ધરાવતા માણસો સરકારી જમીન ખાનગી ઠેરવે છે...

માધાપર સાથે સંકળાયેલ જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરો : હાઈકોર્ટને પત્ર પાઠવી વીજીલન્સ તપાસ માંગતા જગદીશ તૈરેયા

રાજકોટ, તા. ૮ :. ઈશ્વરીયા મહાદેવ પાર્કમાં રહેતા જગદીશ તૈરેયાએ હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસશ્રીને પત્ર પાઠવી એક ફરીયાદ બાબતે વીજીલન્સ તપાસ મુકવા માંગણી કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, અમોએ તા. ૧૬-૧૦-૨૦૧૯ના રોજ રાજકોટ જીલ્લા કલેકટરશ્રી તેમજ આપ નામદાર હાઈકોર્ટના ચીફ જસ્ટીશશ્રીને ફરીયાદ આપેલ તેમાં માધાપર સર્વે નં. ૧૧૧માં રાજકીય વગ ધરાવતા માણસો સરકારી જમીન ખાનગી ઠેરવીને લાગતા-વળગતાઓને લ્હાણી કરી રહ્યા હોય તેમજ માધાપર સાથે સંકળાયેલ જવાબદાર અધિકારીઓ આ બધાની રાજકીય માણસો સાથે મીલીભગત હોય અને કૌભાંડો આચરે છે તો આ બાબતે રાજકોટ જીલ્લા કલેકટર તંત્રને ફરીયાદ આપેલ હોય પણ રાજકીય દબાણ હોય તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી તો આ બાબતે અમો નામદાર ચીફ જસ્ટીશ સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આ અમારી અરજી જાહેર હીત માટે હોય તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી, કરાવીને સરકારી કર્મચારી તેમજ પદાધિકારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આ બાબતે વીજીલન્સ તપાસ મુકવા નમ્ર અરજ છે.

(3:30 pm IST)