Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

બેડલામાં નવા વર્ષના દિવસે જ આર્થિક ભીંસને લીધે ભરતભાઇ રાઠોડનો આપઘાતઃ ચાર સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું: કોળી પરિવારમાં કલ્‍પાંત

રાજકોટઃ કુવાડવા તાબેના બેડલા ગામે રહેતાં ભરતભાઇ ચનાભાઇ રાઠોડ (ઉ.૪૨) નામના કોળી યુવાને નવા વર્ષની સાંજે પોતાની વાડીએ ઓરડીમાં જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ કુવાડવા પોલીસને થતાં પીએસઆઇ પી. સી. મોલીયા, ગઢવીભાઇ અને હમિરભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યાનું બહાર આવ્‍યું છે. આ બનાવથી બે પુત્ર અને બે પુત્રી મળી ચાર સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો છે. નવા વર્ષને દિવસે જ ઘરના મોભીના મોતથી તહેવારની ખુશી માતમમાં પલ્‍ટાઇ ગઇ હતી.

(12:33 pm IST)