Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

રામનાથપરા પ્રજાપતિની વાડી પાસેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

રાજકોટઃ રામનાથપરા જુની જેલના ગેઇટ સામે પ્રજાપતિ સમાજની વાડી પાસે અજાણ્‍યો આશરે ૩૫વર્ષનો યુવાન બેભાન પડયો હોઇ ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. તેના ઇએમટી તબિબ ધીરૂભાઇ આહિરે તેને મૃત જાહેર કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ કે. એ. જાડેજા, હેડકોન્‍સ. સાજીદભાઇ સહિતના સ્‍ટાફે ઘટના સ્‍થળે જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયો હતો. મૃતકનો શરીરનો બાંધો પાતળો છે અને લાલ કલરનો શર્ટ તથા સફેદ પેન્‍ટ પહેર્યુ છે. તસ્‍વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

(12:33 pm IST)