Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

બહુમાળી ભવનના આઉટ હાઉસની ઓરડીમાં કર્મચારી સેકરભાઈનો ફાંસો ખાઈ આપઘાત

'બહાર સુવુ નથી' કહી રૂમમાં જઈ ફાંસો ખાઈ લીધોઃ કારણ જાણવા તપાસ

રાજકોટ, તા. ૯ :. શહેરના બહુમાળી ભવન પાછળ ટ્રેઝરી ઓફિસની પાછળ આઉટ હાઉસની ઓરડીમાં પ્રૌઢે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગત મુજબ તામીલનાડુના વતની હાલ રાજકોટ બહુમાળી ભવન ટ્રેઝરી ઓફિસની પાછળ આઉટ હાઉસની ઓરડીમાં રહેતા સેકરભાઈ મટેયનભાઈ સુક્કુ (ઉ.વ. ૫૫) ગઈકાલે પોતાની ઓરડી બહાર પત્ની અને પુત્ર સાથે બેઠા હતા. બાદ પોતે 'બહાર સુવુ નથી' તેમ કહી ઓરડીમાં જઈ પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પુત્ર ઓરડીમાં આવતા પિતાને લટકતી હાલતમાં જોઈ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. કોઈએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઈએમટી ચીરાગભાઈએ તપાસ કરતા પ્રૌઢનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા પીએસઆઈ આર.એસ. સાકળીયા તથા ગૌતમભાઈએ તપાસ હાથ ધરી છે.

(3:23 pm IST)