Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

રાજ્યના ૧૧૭ પીએસઆઇની બદલીઃ રાજકોટ શહેરના ૬નો સમાવેશ, પાંચને રાજકોટ મુકાયા

રાજકોટ તા. ૯: રાજ્યના જુદા-જુદા શહેરોમાં ફરજ બજાવતાં ૧૧૭ પી.એસ.આઇ.ની બદલીના હુકમો થયા હતાં. જમેIં રાજકોટના ૬ પીએસઆઇનો પણ સમાવેશ થાય છે. જેની બદલી થઇ છે તેમાં રાજકોટના ભુમિકા કાર્તિકકુમાર ભટ્ટ (ભુમિકા એમ. નાંદવા), દિપકકુમાર મોહનલાલ સાધુ, નિલેષભાઇ મુળજીભાઇ સોલંકી, જ્યોત્સનાબેન નારણભાઇ ચાવડા, રાધિકાબેન ચંદ્રકાંત રામાનુજ, રમેશભાઇ મનજીભાઇ કોટવાલનો સમાવેશ થાય છે.  સોૈથી વધુ બદલી અમદાવાદ શહેર પીએસઆઇની થઇ છે.

એક તરફ આઇપીએસ કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓ થવાની ચર્ચાઓ થઇ રહી છે એ પહેલા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ૧૧૭ પીએસઆઇની બદલીના હુકમો કર્યા છે. જે બદલીઓ થઇ છે તેમાં અમદાવાદના ૩૨ પીએસઆઇનો સમાવેશ થાય છે. એ પછી વડોદરાનો સમાવેશ થાય છે. જે બદલીઓ થઇ છે તે બીન હથીયારધારી પીએસઆઇની થઇ છે. અત્રે નોંધનીય છે કે ૨૦૧૦ની બેચના પીએસઆઇની બઢતીની પણ ચર્ચા છે ત્યારે ગમે ત્યારે પ્રમોશનનું લિસ્ટ બહાર પડે તેવી પણ શકયતા છે.

જુનાગઢ-અમદાવાદથી રાજકોટમાં પાંચને મુકાયા

જ્યારે જુનાગઢના આકાશ લીલાધરભાઇ બરાસીયાને રાજકોટ શહેર,  અમદાવાદના પૂનમ કાનજીભાઇ ગાંગાણીને રાજકોટ શહેર, અમદાવાદના વનરાજ ભીલુભાઇ અરબસીયાને રાજકોટ ગ્રામ્ય, અમદાવાદના મહેન્દ્ર ભીખુભાઇ જેબલીયાને રાજકોટ શહેર તેમજ અમદાવાદના રસુલ અબ્બાસભાઇ કપાસીને રાજકોટ શહેરમાં મુકવામાં આવ્યા છે.

(11:57 am IST)