Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ઝી બિઝનેસનાં મેનેજીંગ તંત્રી તેમજ શેરબજાર સમાચારના ખ્યાતનામ અનિલભાઇ સિંઘવી આજે રાજકોટના મહેમાન

બે દાયકાથી હિન્દી ભાષામાં શેરબજાર અને બિઝનેસ સમાચારોનું પર્યાય એટલે અનિલ સિંઘવી

રાજકોટ તા. ૯ ઃ ઝી બીઝનેસના મેનેજીંગ તંત્રી - વિખ્યાત ન્યુઝ એન્કર તથા શેરબજારમાં દેશ વિખ્યાત ગણાતા શ્રી અનિલ સિંઘવી આજે રાજકોટ આવ્યા છે, તેઓ પોતાના પર્સનલ કામ અર્થે રાજકોટ આવ્યાનું ઉચ્ચત્તમ સાધનોમાંથી જાણવા મળ્યું છે.

શેરબજારને લઈને તેમનું આંકલન અને તેમના દ્વારા આપવામાં આવતી શેરબજાર સંદર્ભેની માહિતી ઘણી સચોટ અને રોકાણકારો માટે ફાયદાકારક સાબિત રહી છે.અનિલભાઈ સિંઘવી જેઓ ચાર્ટર્ડ એકાઉંટંટ છે અને શેરબજાર તેમજ બિઝનેસ ન્યુઝ સાથે સંકળાયેલા છે તેઓ ઝી બિઝનેસ પહેલા સીએનબીસી આવાઝ સાથે સંકળાયેલા હતા અને તેમને શેરબજાર તેમજ રોકાણકારોને યાદગાર ઘણા એવા શો એન્કર કર્યા છે તેમજ આવા માર્ગદર્શક કાર્યક્રમો પણ જે તે ચેનલનાં નેજા હેઠળ યોજયા છે અને સમગ્ર ભારતમાં શેરબજારને લાગતું માર્ગદર્શન રોકાણકારોને આપવા હર-હંમેશ તત્પર રહે છે. આ ઉપરાંત અનિલભાઈએ વ્યાપાર વાણિજય જગત સાથે તેમજ સરકારી મંત્રીઓ અને બ્યરોક્રેટ્સનાં અસંખ્ય ઈન્ટરવ્યૂ લીધેલા છે જે વિડિયોઝની લિંક યુટ્યુબ પર ઢગલા મોંઢે ઉપલબ્ધ છે.

શ્રી અનિલ સિંઘવી સાથે રાજકોટના શેરબજારના એક જાણીતા બ્રોકર સાથે ગાઢ નાતો ધરાવે છે, તેઓ તેમને મળનાર હોવાનું સાધનો ઉમેરી રહ્યા છે.

(3:51 pm IST)