Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

સિંચાઇ વિભાગના નયનાબેન વયનિવૃતઃ વિદાયમાન

સિંચાઇ વિભાગમાં ૩૭ વર્ષ માત્ર રાજકોટમાં જ ફરજ બજાવી આલેખન એકમની કચેરીમાં વય નિવૃત થયેલ શ્રીમતી નયનાબેન દેસાઇને  વિદાયમાન આપવામાં આવ્યું હતુ. જાણીતા સરકારી વકીલશ્રી મુકેશભાઇ દેસાઇ (૯૩૭૪૧ ૦૪૬૮૮)ના ધર્મપત્નિ નયનાબેનના વિદાય સમારંભમાં હાલના તથા નિવૃતિ થઇ ગયેલા અધિકારીઓ સર્વશ્રી કાથરોટીયા,  વઘાસીયા, કમલેશ મહેતા, રામાણી, તલસાણીયા વગેરે અધિકારીઓ ઉપરાંત વર્તુળ કચેરીના અધિક્ષક શ્રી ગઢીયાભાઇ, શકીલભાઇ, ખીલોસીયાભાઇ તથા આલેખન એકમના સ્ટાફ તરફથી શાલ ઓઢાડી તેમજ સ્મૃતિભેટ આપી બહુમાન કરવામાં આવેલ. વિદાય સમારંભનું સંચાલન નિવૃત સીનીયર કલાર્ક કેશુભાઇ દ્વારા કરાયેલ. કચેરીના શ્રી તલસાણીયા, જાદવભાઇ, મીતાબેન વગેરે દ્વારા લીલુ નાળીયેર તથા સાકરનો પડો અર્પણ કરી નયનાબેનનું નિવૃતિ પછીનું જીવન મીઠાશ અને લીલુછમ બની રહે તેવી શુભેચ્છા  પાઠવેલ.

(4:29 pm IST)