Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કોંગ્રેસની માનસિકતા વેપારી વિરોધીઃ ઉદય કાનગડ

૧ ફુટનો ઓટલો, શટર અને દરવાજા માટે રાખવો જરૂરી બને તે વેપારીનો હક્ક છે ત્યારે વિપક્ષી નેતા ઓટલા તોડવાની વાતો કરી રાજકિય રોટલા શેકી રહયા છેઃસ્ટેન્ડીંગ કમીટી ચેરમેનનું નિવેદન

રાજકોટ તા.૯: શહેરમાં ઓટલા તોડવાની ઝૂંબેશમાં પરાબજાર પાસે ભાજપ અગ્રણીનાં ગેરકાયદે ઓટલાને તોડવા અંગે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા સહિત કોંગ્રેસના કોર્પોરેટરોએ મ્યુ. કમિશનરને  આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. ત્યોર સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે તેના પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા વેપારી વિરોધી છે એટલે જ ઓટલા તોડવા રજૂઆતો કરે છે.

શ્રી કાનગડે નિવેદનમાં જણાવ્યું છે કે પોતાની દુકાનનું શર્ટર અથવા બારણું પગથિયા માટે ૧ ફુટનો ઓટલો રાખવા જ પડે અને તે વેપારીઓનો હક્ક છે. ૧ ફુટથી વધારે પડતું દબાણ હોય તો તે ગેરકાયદે કહી શકાય ત્યારે કોંગ્રેસનાં .. ૧ ફુટના ઓટલા તોડવાની માંગણી ઉઠાવી વેપારી વિરોધી માનસિકતા છતી કરી રહયા છે. અને રાજકિય રોટલા શેકી રહયા છે. તેવો આક્ષેપ ઉદય કાનગડે કર્યો હતો.

અંતમાં શ્રી કાનગડે જણાવ્યું હતું કે દબાણો કોઇની શેહ-શરમ રાખ્યા વગર દૂર થશે જ અને પાર્કિંગમાં દબાણો દુર કરવા જોર-શોરથી ઝુંબેશ ચાલું જ છે.(૧.૨૪)

(4:18 pm IST)