Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

અમીનુર ગ્રુપ દ્વારા નહેરૂનગરમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ સંપન્ન

લઘુમતિ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ફોર્મનું વિતરણ

રાજકોટ : અમીનુર ગ્રુપ દ્વારા ગ્લોબલ આયુર્વેદા હોસ્પિટલના સહયોગથી તાજેતરમાં નહેરૂનગર-૩ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૩૭૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. વિદ્યાર્થીઓને લઘુમતી સ્કોરલશીપના ફોર્મ વિનામુલ્યે અપાયા હતા. મેડીકલ કેમ્પમાં ડો. મેહુલ જોષી, ડો. મિલન ત્રિવેદી, ડો. તુષાર કુમાર, રિધ્ધી સરધારા, ડો. અવની કનેરીયા, એકયુપ્રેશર નિષ્ણાંત અમિતભાઇ દુબલ, સંજયભાઇ ગવડેએ સેવા આપી હતી. મુખ્ય મહેમાન તરીકે વોર્ડ નં. ૨ ના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઇ રાડીયા, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વ ડે.મેયયર ડો.દર્શીતાબેન શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં. ૨ ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ગુલાબસિંહ, પ્રભારી ધરાબેન વૈષ્ણવ, સમાજ કલ્યાણ અધિકારી શ્રી પંડયા, સેન્ટ ગાર્ગી સ્કુલના સંચાલક રમાબેન હેરભા, રઝા મસ્જિદના સૈયદ મહેબુબબાપુ કાદરી, સૈદય હાજી બસીરબાપુ કાદરી, અલ્લાઉદીનભાઇ કારીયાણીયા, હારૂનભાઇ શાહમદાર, રજાકભાઇ જામનગરી, યુસુફભાઇ જે. કે., ફારૂકભાઇ કટારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સસમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સૈદય એજાઝબાપુ બુખારી, રજાકભાઇ કારીયાણી, વકાર બ્લોચ, નિશ્ચલભાઇ જોશી, હુઝેફાભાઇ શાકીર, પરવેઝભાઇ કુરેશી, શૈફાલીબેન લાસારી, સમીમબેન મામટી, શબાનાબેન શેખ, નવાઝભાઇ બ્લોચ, સૈયદ તોફીકબાપુ કાદરી, રફીકભાઇ કારીયાણીયા, ગુલામહુશેનભાઇ વડીયા, ફીરોઝભાઇ લાખવા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:00 pm IST)