Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

જિલ્લા પંચાયતના તલાટીઓની પેનડાઉન હડતાલનો સુખદ અંત

ડીડીઓએ બદલીના હુકમમાં ન્યાયીક સુધારાની માંગણી સ્વીકારીઃ ચિરાગ ગરૈયા

રાજકોટ, તા. ૯ :. જિલ્લા પંચાયતમાં તલાટીઓની બદલીના મુદ્દે ૯ દિવસથી ચાલતી પેનડાઉન હડતાલનો આજે સુખદ અંત આવ્યો છે. ૪૦૦ જેટલા તલાટીઓ આજથી આવશ્યક સહિતની તમામ રાબેતા મુજબની કામગીરીમાં લાગી ગયા છે. તલાટીઓની બદલીમાં અમુક હુકમ અન્યાયી હોવાની લાગણી સાથે પેનડાઉન હડતાલ શરૂ થઈ હતી.

તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ચિરાગ ગરૈયાએ આજે જણાવેલ કે જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયા સાથે આજે સારા માહોલમાં મંડળના હોદેદારોની બેઠક પુરી થઈ છે. તેમણે આવતા અઠવાડીયે તલાટીઓની બદલીના હુકમમાં ન્યાયીક સુધારો કરી દેવાનું આશ્વાસન આપ્યુ છે. અમે તેમની વાત સ્વીકારી આજથી પેનડાઉન હડતાલ સમેટી લીધી છે. પંચાયતના જિલ્લાભરના તલાટીઓ પૂર્વવત કામગીરીમાં જોડાય ગયા છે.

(4:07 pm IST)