Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

૧૪ મી જુલાઇથી મુંબઇ-રાજકોટ-મુંબઇ-એર ઇન્ડીયાની ફલાઇટના સમયમાં ખાસ ફેરફાર કરાયો

રાજકોટ,તા. ૯: હાલ દર મંગળ-ગુરૂ-શનિ એર ઇન્ડીયાની ફલાઇટ રાજકોટ-મુંબઇ વચ્ચે ઉડી રહી છે. ૧૪ મીથી રાજકોટ વાયા સુરત-દિલ્હી ફલાઇટ પણ શરૂ થનાર છે.

દરમિયાન મુંબઇ-રાજકોટની ફલાઇટના સમયમાં ૧૪મીથી ફેરફાર આવી ગયો છે. જે મુજબ ફલાઇટ પહેલા મુંબઇથી ૩:૪૦ રવાના થતી તે હવે ૪:૪૦ વાગ્યે મુંબઇથી ઉપડશે. અને રાજકોટ ૫:૪૦ વાગ્યે પહોંચશે. રાજકોટથી ઉપડવાનો સમય ૬:૨૦ નો હતો તે હવે સાંજે ૭:૨૦નો રહેશે અને મુંબઇ ૮:૩૫ કલાકે પહોંચશે તેમ અધિકારી સુત્રોએ ઉર્મેર્યું છે.

(2:42 pm IST)