Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

રાજકોટમાં બપોરે કોરોનાના વધુ ચાર કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 294 થઇ : વધુ એક મોત

બેડીપરાના મહાત્મા ગાંધી પ્લોટના આધેડ,રવિરાટન પાર્ક-5ના પુરુષ,મવડી પ્લોટની શોભના સોસાયટીના આધેડ અને નાના મવા મેઈન રોડના રોયલ શેલ્ટર એપાર્ટ,ના પુરુષને કોરોના પોઝીટીવ : ધીરુભાઈ ચણાસ્માનું મૃત્યુ

રાજકોટમાં કોરોના કહેર વર્તાવી રહયો છે શહેરમાં બપોરે ૨:૦૦ વાગ્યાથી સાંજના ૫:૦૦ વાગ્યા સુધીની સ્થિતિએ નવા ચાર  કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે દિનેશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ (૫૧/પુરૂષ) ( રહે, મહાત્મા ગાંધી પ્લોટ, બેડીપરા, રાજકોટ.) દીપકભાઈ માવજીભાઈ બેચરા (૪૨/પુરૂષ) ( રહે, રવિ રત્ન પાર્ક-૫, યુનિવર્સીટી રોડ, રાજકોટ.) વલ્લભભાઈ દેવશીભાઈ રૂપારેલીયા (૫૩/પુરૂષ) ( રહે, શોભના સોસાયટી-૨, પતંજલિ સ્કુલ પાસે, મવડી પ્લોટ, રાજકોટ.) અને જયેશભાઈ નાથાભાઈ કાલરીયા (૪૫/પુરૂષ) ( રહે,૧૦૪, રોયલ શેલ્ટર એપાર્ટમેન્ટ, નાના મવા મેઈન રોડ, રાજકોટ.0 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

જયારે  ધીરુભાઈ હરિભાઈ ચાણસ્મા (૬૫/પુરુષ) ( રહે, મારવેલ હોસ્પિટલ સામે, માધવ ગેઈટ, ૧૫૦ ફૂટ રીંગ, રાજકોટ.)નું મૃત્યુ થયું છે,જે તા,૫/૭/૨૦૨૦ દાખલ થયેલ છે, જયારે આજે તેનું મૃત્યુ થયું છે
રાજકોટ શહેરના કુલ કેસની સંખ્યા 294 થઇ છે જેમાંથી 122 દર્દીઓ સારવાર હેઠળ છે

(6:38 pm IST)