Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ચોમાસામાં સ્‍વસ્‍થ રહેવાની ચાવી

વાતાવરણની ચોખ્‍ખાઇ પાણી ભરાવા ન દેવુ . વ્‍યકિતગત સ્‍વચ્‍છતા, ખોરાક સ્‍વચ્‍છ, તાજો તથા ઘરનો શુધ્‍ધ ઉકાળેલુ કે ફિલ્‍ટર કરેલુ પાણી

ચોમાસામાં અનેક રોગો દેખા દેખા થતા હોયછે. ચોમાસામાં સ્‍વસ્‍થ રહેવાની ટીપ્‍સ ખુબ જ અગત્‍યની છે.

 

સૌ પ્રથમ તો વરસાદને કારણે વાતાવરણમાં ખૂબ જ ભેજ થઇ જતો હોય છે. જેમા વાઇરસ , બેકટેરીયા , ફંગસ જેવા સુક્ષ્મજીવો  ખુબ જ વૃધ્‍ધી પામતા હોય છે. આ સુક્ષ્માજીવાણુઓ શ્વાસ દ્વારા શરીરમાં જાય છે. સૌ પ્રથમ તો તે નાક , સાયનસ , ગળુ  અને કાકડામાં વિગેરેમાં જતા હોય છે. અને ત્‍યા વૃધ્‍ધિ પામતા હોય છે. અને શરદી , ઉધરસ અને કાકડામાં સોજો વિગેરે કરતા હોય છે. આ સુક્ષ્મજીવાણુઓ ફેફસામાં જાય તો ન્‍યુમોનીયા  અથવા ભારે કફ ઉત્‍પન કરતા હોય છે.  અસ્‍થમાં , શ્વાસ , ભરણી તથા એલર્જીના દર્દીઓ આ સીઝનમાં બહુ જ વધારે જોવા મળે છે. આ રોગો ખૂબ જ ઉથલો મારતા હોય છે. વાતાવરણમાં રહેલ ધૂળ  ધુમાડો ખાસ કરીને પ્રદુષણ આ રોગોમાં વધારો કરે છે.

 

પરસેવાને કારણે ભેજવાળા વાતાવરણમાં રહેલા જંતુઓના કારણે ચામડીના રોગોમાં વધારો જોવા મળે છે. પાણીજન્‍ય રોગો જેમ કે કમળો ટાઇફોડ ઝાડા ઉલ્‍ટી મરડો કૃમિ રોગો વિગેરે વધારે જોવા મળે છે. તો પાણીની શુધ્‍ધતાનુ ખુબ ધ્‍યાન રાખવુ પડે છે. વરસાદના પાણીની ડહોળાઇ  જાય છે તથા નળની સાથે ગટરનુ પાણી કયારેક મિકસ થઇ જતુ હોય છે.  આ સિઝનમાં મચ્‍છરોનો  ઉપદ્રવ વધવાથી મેલેરિયા, ડેન્‍ગ્‍યુ , ચિકનગુનિયા વિગેરે રોગો થતા હોય  છે તથા મચ્‍છરોની વૃધ્‍ધિ, ખુલ્લા પાણી તથા ગંદકીમાં વધારે થતા હોય છે. વાસી ખોરાકમાં તથા ખુલ્લા ખોરાકમાં વાઇરસ, બેકટેરીયા  ફંગસ વિગેરે લાગી જતા હોય છે. તથા દુષિત ખોરાકથી ટાઇફોઇડ, કમળો , મરડો, ઝાડા -ઉલ્‍ટી અપચો વિગેરે થતા હોય છે. ઉપર મુજબના લક્ષણો દેખાય તો તુરત નજીકના ડોકટરનો સંપર્ક કરવો તપાસ કરાવવી અને સારવાર કરાવવી  ચોમાસામાં થોડુ વાતાવરણ , થોડી ખાણીપીણી તથા વ્‍યકિતગત ચોખ્‍ખખાઇ અને પાણીની શુધ્‍ધતા પર ધ્‍યાન આપવામાં આવે તો ઘણા રોગો થી બચી શકાય છે. સૌ પહેલા તો ઘરમાં કે રૂમમાં ચોખ્‍ખી હવા મળતી રહે તે માટે બારી બારણા ખુલ્લા રાખવા જોઇએ  ઘરમાં તડકો આવે તે  બાબતનુ ખાસ ધ્‍યાન રાખવુ જોઇએ બંધ રૂમમાં ભેજ વધી જતો હોય છે. અને જંતુઓનો ઉપદ્રવ ખુબ વધી જતો હોય છે. આ સીઝનમાં તાવ શરદી કફ વિગેરેથી રક્ષણ માટે સવારે ઉઠીને ગરમ પાણીના કોગળા કરવા જોઇએ તથા હળદરવાળુ  દુધ કે ગરમ પ્રવાહી લેવુ જોઇયે તથા ગરમ નાશ લેવો જોઇએ. જેથી ભેજવાળી તથા દુષિત હવા સાફ થઇ જાય  જેથી શરદી ઉધરસ ભરણી શ્વાસ વિગેરે રોગ ન થાય

 ખોરાકમાં પણ વાસી ખોરાક ફળ સલાડ વિગેરે ઉપર પણ વાતાવરણના બેકટેરીયા વાઇરસ લાગતા હોય છે. જેને દુર કરવા કઠોળ શાકભાજી વિગેરેને બરોબર વહેતા પાણીમાં ધોવાનો તથા ગરમ થયેલો તાજો ખોરાક જ લેવાનો આગ્રહ રાખવો જેથી પિત્ત અપચો ઈન્‍ફેકશન થી બચી શકાય છે. પાણીજન્‍ય રોગોથી બચવા પાણી ઉકાળીને ઠંડુ થાય તે પછી પીવાનો આગ્રહ રાખવો અથવા આર.ઓ. ફિલ્‍ઠર અથવા યુ.વી. ફિલ્‍ટરનુ જ પાણી પીવુ જોઇએ બહારનો બરફ તથા પાણીના પાઉચનો ઉપયોગ બન્ને ત્‍થા સુધી ન કરવો ખુલ્લામાં રેકડીમાં મળતા  શેરડીના રસ ફ્રુટનો રસ શરબત સોડા વિગેરેનું સેવન ન કરવુ . કારણકે તેમા ઉપયોગમાં લીધેલા કલર ફ્રુટ શેરડી વિગેરે બરાબર ધોયેલી ન હોય અને મશીન બરાબર સાફ ન હોય ગ્‍લાસ કે વાસણ બરાબર સાફ ન હોય તો ઝાડા -ઉલ્‍ટી મરડો  કૃમિ વિગેરે થતા હોય છે. તો તેનાથી બચી શકાય

ચોમાસામાં વાતાવરણમાં જંતુઓ  અને પરસેવાના કારણે ચામડીના રોગો એલર્જી ગુમડા ખસ વિગેરે થવાની શક્‍યતા હોય છે. જે વ્‍યકિતગત સ્‍વચ્‍છતાથી રોકી શકાય છે. જેમ કે ન્‍હાતી વખતે પાણી ઉકાળીને વાપરવુ જેમા બને તો એક ઢાકણુ ડેટોલ કે સેવલોન નાખવુ બને તો દિવસમાં બે વાર સ્‍નાન કરવુ તથા વારંવાર સ્‍પોજીંગ કરવુ તથા સહેજ પણ ચામડીમાં ચેપ કે ગુમડા દેખાય તો તરત જ  જંતુનાશક દવા લગાડવી તથા નજીકના ડોકટરને બતાવવુ

મચ્‍છરથી થતા રોગો જેમ કે મેલેરીયા ડેન્‍ગ્‍યુ , ચિકનગુનિયા વિગેરે થતા હોય છે. કારણ કે મચ્‍છરોનો ઉપદ્રવ આ સીઝનમાં વધારે જોવા મળતો હોય છે. જેથી રોગો ન થાય એ માટે કોશિષ કરવી જોઇએ ઘરમા પાણી ભરેલા વાસણ ટાંકો  વિગેરેને સરખી રીતે ઢાંકીને રાખવા ઠંડુ પાણી જમા થયેલુ ન રહે તે તેનુ ધ્‍યાન રાખવુ  જેમ કે કુંડામાં  ખાબોચીયામાં ટાવરમાં  કે નકામી વસ્‍તુઓમાં , ઘરમાં અને આજુબાજુમાં કિચડ કે ગંદકી ન થાય એનુ ધ્‍યાન રાખવુ વ્‍યક્‍તિગત રક્ષણ માટે  મચ્‍છરદાનીનો ઉપયોગ કરવો આખી બાયના કપડા પહેરવા  મેટ અથવા મચ્‍છર  અગરબતીનો અથવા લીકવીડ (પ્રવાહી)નો ઉપયોગ કરવો. પાણી ભરેલ જગ્‍યામાં જરૂર પડે તો ગપ્‍પી માછલીઓ નો ઉપયોગ કરવો મચ્‍છરનો ઉપદ્રવ જણાય તો તરત જ જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો મેલેરીયા  કે ડેન્‍ગ્‍યુ  જેવા રોગની ખબર પડે કે તરત જ કોર્પોરેશનને જાણ કરવી  આમ ચોમાસામાં થતા રોગોમાંથી બચવા અસરકારક  ઉપાય કરવા જરૂરી બને છે.

ચોમાસામાં થતા રોગોના રોગોના મુખ્‍ય  લક્ષણો :-

ભરણી, ન્‍યુમોનિયા : શરદી, ઉધરસ, ઠંડી લાગવી, શ્વાસ

મરડો, ઝાડા : પેટમાં દુઃખાવો ઉબકા , ઉલ્‍ટી  ચિકાસવાળો ઝાડો

કમળો : પેશાબ ઘાટો અથવા વધારે પીળો આવવો તાવ ઉબકા ઉલટી

ટાઇફોડ : સતત તાવ , ભુખમરી જવી , પેટમાં દુઃખાવો

મેલેરીયા, ડેન્‍ગ્‍યુ તાવ : માથાનો દુઃખાવો  ઉલ્‍ટી, ઉબકા  ચામડીમાં લાલચાંભા કળતર શરીરમાં દુઃખાવો

ડીહાઇડ્રેશન : ચક્કર આવવા  હાથપગ ઠંડા પડવા , પેશાબ ઓછો થવો સુકી ચામડી

કૃમિ રોગ :મળમાર્ગમાં ખંજવાળ , ઝાડામાં જીવાત દેખાય

ડો. મેહુલ એમ. મિત્રા,

એમ.ડી(પેડ)યુનિ. પ્રથમ

નવજાત શીશુ બાળરોગ નિષ્‍ણાંત

અને ઈન્‍ટેન્‍સીવીસ્‍ટ વોકહાર્ટ હોસ્‍પિટલ ,રાજકોટ

(4:02 pm IST)