Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સરગમ કલબ દ્વારા રામનાથપરા મુકિતધામ ખાતે રવિવારે સમુહ અસ્થિ પુજન

તા.૧૭ના હરદ્વાર ખાતે ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરાશે

રાજકોટઃ તા.૯, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરગમ કલબ સંચાલીત રામનાથપરા સ્મશાન ગૃહ ''મુકિત ધામ'' ખાતે સમુહ અસ્થિ પુજનનો કાર્યક્રમ તા.૧૪ ને રવિવારે સવારે ૯ થી૧૧ યોજવામાં આવેલ છે.  મુકિતધામમાં લાકડા તથા વિદ્યુત તેમજ ગેસ આધારીત સ્મશાન વિભાગમાં અંતિમવિધિ કરાયેલા તા.૧/૧/૨૦૧૯ થી ૩૦/૬/૨૦૧૯ સુધીમાં અવસાન પામેલાના આત્માને મોક્ષાર્થે સમુહ અસ્થિ પુજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સમુહમાં પુજન બાદ તા.૧૭ને બુધવારે સવારે ૭ કલાકે હરદ્વાર ખાતે ગંગાના પવિત્ર જળમાં સરગમ કલબના લેડીઝ-જેન્ટસ કમિટિ મેમ્બરો સમુહ અસ્થિ વિસર્જન કરશે.

જે પરીવારજનો પોતાના સ્વ.ના અસ્થિ અલગથી રાખવા માંગતા હોય અથવા જે પરિવારજનો પોતાના સ્વ.ના અસ્થિ પોતે પોતાની રીતે હરદ્વાર લઇ જવા માંગતા હોય તેમણે મુકિતધામ ખાતે ફોનનં.(૦૨૮૧) ૨૨૨૧૯૫૦ અથવા (૦૨૮૧) ૨૨૩૭૯૦૦ ઉપર જાણ કરી દેવા યાદીમાં જણાવાયું છે.

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાની આગેવાની હેઠળ મુકિત ધામ સંચાલન સમિતિના સદસ્ય મનસુખભાઇ ધંધુકીયા, રમેશભાઇ અકબરી અને લેડીઝ -જેન્ટર્સ કલબના હોદેદારો વગેરે વ્યવસ્થાની જવાબદારી સંભાળશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:27 pm IST)