Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

માધાપર ચોકડી પાસેથી જામનગરના અનિરૂધ્ધસિંહ સોઢાને પીસ્તોલ કાર્ટિસ સાથે એસઓજીએ દબોચ્યો

અગાઉ જુની અદાવતો ચાલતી હોઇ તેથી હથિયાર રાખતો 'તો

રાજકોટ તા.૯: માધાપર ચોકડી નજીક દ્વારકાધીશ પેટ્રોલપંપ પાસેથી એસોઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી જામનગરના શખ્સને દેશી બનાવટની પીસ્તોલ અને કાર્ટીસ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશનર અજયકુમાર ચૌધરી, ડીસીપી રવીમોહન સૈની તથા મનોહરસિંહ જાડેજા અને એસીપી જયદીપસિંહ સરવૈયાની સુચનાથી એસઓજીના પીઆઇઆર વાય રાવલના માર્ગદર્શન હેઠળ પીઆઇ આર.વાય.રાવસ પીેસઆઇ બી.કે.ખાચર, કોન્સ જીતુભા ઝાલા, ફીરોઝભાઇ રાઠોડ, ગીરીરાજસિંહ જાડેજા, ગીરીરાજસિંહ ઝાલા, બ્રીજરાજસિંહ ઝાલા અને અનિલસિંહ ગોહીલ સહિતના સ્ટાફે દરોડો પાડી જામનગર રોડ પર દ્વારકાધીશ પેટ્રોલપંપ પાસે આવેલ રાધેપાનની દુકાન પાસેથી અનીરૂધ્ધસિંહ ઉર્ફે અનોપસિંહ વિસુભા સોઢા (ઉ.વ.૨૬)(રહે.માટેલ ચોક ક્રિષ્ના પાર્ક સોસાયટી શેરી જામનગર)ને પકડી લઇ તલાસી લેતા તેના પેન્ટના નેફામાંથી રૂ.૧૦ હજારની કિંમતની દેશી બનાવટની પીસ્તોલ અને એક જીવતો કાર્ટીસ મળી આવતા તેની ધરપકડ કરી હતી.

પોલીસે તેની પૂછપરછ કરતો તેને અગાઉ જુની અદાવતો ચાલતી હોઇ તેના લીધો હથિયાર રાખ્યુ હોવાનું જણાવ્યુ હતુ. હથિયાર કયાંથી અને કોની પાસેથી લાવેલ તે અંગે પોલીસે તેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથધરી છે.

(1:34 pm IST)